પ્રશ્ર : ૧ 'માખણ- મિત્ર - મટુકી 'સંવાદના આધારે પ્રશ્નોના જવાબ લખો:
(૧) માતા યશોદા કૃષ્ણને લાડમાં__ નામથી બોલાવે છે. (લાલા, વહાલા )
જ.
લાલા

(ર) માતા યશોદા શાનાથી કંટાળી ગયાં છે. ? સાચો વિકલ્પ√ કરોઃ
() ઘરકામથી
()ગાયોથી
(√) લાલાના તોફાનથી
() લાલાના દોસ્તોથી

(૩) લાલાને ગોપીઓ સુખેથી રહેવા જ દેતી નથી. (√ કે x)
જ.


(૪) કોણ બોલે છે? "અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી ?"
જ.
કૃષ્ણ

(પ) કૃષ્ણ અને બલભદ્ર સવારથી સાંજ સુધી ક્યાં જાય છે ? સાચો વિકલ્પ√ કરોઃ
()શાળામાં
(√) ગાયો ચરાવવા
() જંગલમાં ફરવા
() ગાયો દોહવા

(૬) યશોદાને કોણ ફરિયાદ કરે છે ?
જ.
યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે.

(૭) માતા યશોદાના કહેવા પ્રમાણે લાલો__ સતાવે છે. (ગોપીઓને, ગોવાળોને)
જ.
ગોપીઓને

(૮) ગોપીઓએ આવીને યશોદાને શું ફરિયાદ કરી હતી ?
જ.
ગોપીઓએ આવીને યશોદાને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરી મારીને એમની માખણની મટુકીઓ ફોકી નાખી. એટલું જ નહી', ઘરે શીકામાં રાખેલું દહી અને માખણ પણ ખાઈ ગયો.

(૯) કનૈયાએ કાંકરી/ લાકડી મારીને ગોપીઓની મટુકીઓ ફોડી નાખી. સાચો વિકલ્પ√ કરો.
જ.
√ કાંકરી

(૧૦) કોણ બોલે છે, "કનૈયા, તું આવાં તોફાન કેમ કરે છે, દીકરા?"
જ.
યશોદા

(૧૧) કોણ બોલે છે, "ગોપીઓ ખોટું બોલે છે મા, પૂછ મોટાભાઈને."
જ.
કૃષ્ણ

(૧૨) ગોપીઓની વાત અડધી સાચી અને અડધી ખોટી છે. (√ કે x)
જ.


(૧૩) કનૈયો રમામાસી / પૂતનામાસીના દીકરાને માખણ ખવડાવતો હતો. સાચો વિકલ્પ√ કરો.
જ. 
√  રમામાસી

(૧૪)__ ના ઘરે માખણની ખોટ નથી. (ગોવાળો, નંદબાબા)
જ.
નંદબાબા

(૧૫) કૃષ્ણ અને બલભદ્રને માખણ માટે બીજાના ઘરે ચોરી કરવાની જરૂર નથી.શા માટે?
જ.
કૃષ્ણ અને બલભદ્રને માખણ માટે બીજાના ઘરે ચોરી કરવાની જરૂર નથી. કારણ કે તેમના પિતા નંદબાબાના ઘરે માખણની ખોટ નથી.

(૧૬)__ ની વાત સાચી છે, મા. (ગોપીઓની, કનૈયાની)
જ.
કનૈયા

(૧૭) ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે.?
જ.
ગોપીઓને શ્રીકૃષ્ણ ખૂબ વહાલા છે.તેમને સતાવવા માટે તેઓ શ્રીકૃષ્ણની ફરિયાદ કરે છે.

(૧૮) કૃષ્ણનો બચાવ કોણ કરે છે?
જ.
કૃષ્ણનો બચાવ તેના મોટો ભાઈ બલભદ્ર કરે છે.

(૧૯) કૃષ્ણ ગોપીઓનું માખણ કેમ ચોરે છે?
જ.
કૃષ્ણ ગોપીઓનું માખણ ચોરે છે.કારણ કે ગોપીઓ પોતાનાં બાળકોને માખણ નથી ખવડાવતી અને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે.

(૨૦) કૃષ્ણના બાપુજીનું નામ શું છે ? સાચો વિકલ્પ√ કરો:
(√) નંદબાબા
() અકુરજી
() બલભદ્ર
() નંદલાલ

(૨૧) ગોપીઓ માખણ, દહીં વેચવા ક્યાં જાય છે?
જ.
ગોપીઓ માખણ, દહીં વેચવા મથુરાના બજારમાં જાય છે.

(૨૨) ગોપીઓ મથુરાનાં મહી-માખણ ગોકુળમાં જઈ વેચે છે. (√ કે x)
જ.
x

(૨૩) ગોકુળના બધા ગોપબાળકોને પૂરતાં મહી- માખણ ખાવા મળી રહે છે. (√ કે x)
જ.
x

(૨૪) કોણ બોલે છે? "એમ વાતે છે! આવવા દે એ બધી કાબરોને "_
જ.
યશોદા

(રપ) યશોદા___ ને કાબરો તરીકે ઓળખાવે છે. (ગોપીઓ, ગાયોને)
જ.
ગોપીઓ

(૨૬) યશોદા ગોપીઓને શો ઠપકો આપશે?
જ.
યશોદા ગોપીઓને ઠપકો આપશે કે વાંક તમારો છે અને તમે કેમ મારા કૃષ્ણ પર આળ ચઢાવો છો?

(૨૭)કોઠા પરથી વાક્યો બનાવીને લખો :

ગામલોકો

મથુરામાં

બહુ મજા પડે

કનૈયાને

નહાવાની બાળકોનાં તોફાનથી

માખણ વેચે

બલભદ્ર

આખો દિવસ

માખણ બહુ ભાવેમોટા હતા

ગોપીઓ

અને ગોવાળોને

ગાયો ચારે

ઠંડા પાણીમાં

કૃષ્ણથી

કંટાળી ગયા હતા

ગોવાળ

મથુરામાં

બહુ મજા પડે

વાક્યોઃ
(૧) ગામલોકો બાળકોનાં તોફાનથી કંટાળી ગયા હતા.
(ર) કનૈયાને અને ગોવાળોને માખણ બહુ ભાવે.
(૩) બલભદ્ર કૃષ્ણથી મોટા હતા.
(૪) ગોપીઓ મથુરામાં માખણ વેચે.
(પ) ઠંડા પાણીમાં નહાવાની બહુ મજા પડે.
(૬) ગોવાળ આખો દિવસ ગાર્યા ચારે.
(૭) ગોપીઓ આખો દિવસ માખણ વેચે.

પ્રશ્ન : ૨ 'નાગ માથે નટવર' વાર્તા પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો:
(૧) ગોકુળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય શો હતો?
જ.
ગોકુળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો.

(ર) ગોકુળના લોકો ગાયના દૂધમાંથી શું શું બનાવતા હતા? સાચો વિકલ્પ√ કરો.
()દહીં
() માખણ
() ઘી
(√ ) આપેલ તમામ

(૩) મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી.(√ કે x)
જ.


(૪) મથુરાના લોકો ગોકુળમાં દૂધ- દહી-માખણ વેચતા હતા.(√ કે x)
જ.
x

(પ) ગામના છોકરાઓ સવારથી સાંજ સુધી શું કરતા હતા?
જ.
ગામના છોકરાઓ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય.

(૬) છોકરાઓ ઘરેથી લાવેલું ___ વહેંચીને ખાય અને મજા કરે. (ભાથું,ખાણું)
જ.
ભાથું

(૭) ગોવાળિયા ગોકુળ / મથુરા ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા. ખોટો વિકલ્પ ચેકી નાખો.
જ.
મથુરા

(૮)__ બહુ જ ઊંડી અને તોફાની નદી. (યમુના, સરસ્વતી)
જ.
યમુના

(૯) કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો. (√ કે x)
જ.


(૧૦) કાલિય નાગ કેવો હતો? તેનીયમુના નદી પર શું અસર પડી ?
જ.
કાલિય નાગ ખૂબ ઝેરી હતો.તેના ઝેરથી યમુના નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું.

(૧૧) કાલિયા નાગ રહે તે ધરાથી લોકો શાથી દૂર રહેતા ?
જ.
કાલિય નાગ રહે તે ધરાથી લોકો દૂર રહેતા કારણ કે કાલિય નાગ ખૂબ ઝેરી હતો.તે રહેતો તેટલા ભાગનું પાણી ઝેરી થઈ ગયું હતું.

(૧૨) બધા મિત્રો ભેગા થઈ નદીકાંઠે કઈ રમત રમતા હતા? સાચો વિકલ્પ√ કરો.
() સાતોડિયું
() મારદડી
() પકડદાવ
(√) ગેડીદડો

(૧૩) ગેડીદડો આજની કઈ રમત સાથે મળતી આવે છે? સાચો વિકલ્પ√ કરો.
() ફૂટબૉલ
()ર્વાલીર્બાલ
(√) હૉકી
() બાસ્કેટ બૉલ

(૧૪) કાલિય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ કર્યો નિયમ બનાવ્યો હતો?
જ.
કાલિય નાગની બીકથી સૌ ભેરુઓએ એવો નિયમ બનાવ્યો હતો કે, જે ખેલાડીને લીધે દડો નદીમાં જાય, એજ ખેલાડીએ દડો લઈ આવવાનો.

(૧૫) કૃષ્ણએ દડાને એવો ફેંક્યો / માર્યો કે એ નદીમાં ગયો. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ.
ફેંક્યો

(૧૬) કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો. (√ કે x)
જ.
x

(૧૭) કોણ બોલે છે?" નિયમ એટલે નિયમ. કનૈયાએ જ જવું પડે."__
જ.
એક મિત્ર

(૧૮) કૃષ્ણના મિત્રો ઇચ્છાતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. (√ કે x)
જ.
x

(૧૯) બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. (√ કે x)
જ.
x

(૨૦) કોણ બોલે છે?" કાલે કાનુડો નવો દડો લેતો આવે."___
જ.
ત્રીજો મિત્ર

(૨૧) દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો. (√ કે x)
જ.
x

(૨૨) કોણ બોલે છે?" રહેવા દે ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મૂકાય?"
જ.
એક-બે મિત્રો

(૨૩) કોણ બોલે છે?" હું જઈશ અને એ જ દડો લઈ આવીશ."__
જ.
કૃષ્ણ

(૨૪)એક ગોવાળને એમ લાગતું હતું કે કૃષ્ણ મિત્રની / મોટાભાઈની વાત માન જશે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ.
મિત્રની

(રપ) "તમે ના પાડો એને.આવું ગાંડું___ ન કરાય." (કામ, સાહસ )
જ.
સાહસ

(૨૬) કૃષ્ણનો સમજાવવા ગોવાળિયાઓએ શું કર્યું ?
જ.
કૃષ્ણને સમજાવવા માટે ગોવાળિયાઓએ મોટાભાઇ બલભદ્રને કહ્યું કે, "તમે ના પાડો એને આવું ગાંડું સાહસ ન કરાય એ મોટાભાઈની વાત નહિ ટાળે "

(૨૭) બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી. (√ કે x)
જ.
x

(૨૮) બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદી માં જશે જ. (√ કે x)
જ.
√ 

(૨૯) કોણ બોલે છે?"કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. "___
જ.
બલભદ્ર

(30) કૃષ્ણને ડર/ભરોસો હતો કે પોતે દડો લાવી શક્શે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ.
ડર

(૩૧) દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. (√ કે x)
જ.


(૩૨) કૃષ્ણને પાછા જવા માટે નાગણોએ વિનંતી/આજ્ઞા કરતી હતી. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ.
આજ્ઞા

(૩૩) નાગણ નાગને સ્વામી /સખા કહે છે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ.
સખા

(૩૪) નાગણ કૃષ્ણને સમજાવતાં કહે છે કે તને તારા ભાઈએ / દુશ્મને અહીં મોકલ્યો છે. ખોટો વિકલ્પ છેકી નાખો.
જ.
ભાઈએ

(૩૫) અમે__ કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને. ( અપરાધી, મૂરખ )
જ.
અપરાધી

(૩૬) ચરણ ચાંપી__ મરડી નાગણે નાગ જગાડિયો. (પૂંછ, મૂછ)
જ.
મૂછ

(૩૭) કાલિય નાગ વિશે બે - ત્રણ વાક્યો લખો.
જ.
કાલિય નાગ કેટલીક નાગણો સાથે યમુના નદીમાં રહેતો હતો .તે ખૂબ ઝેરી હતો. તે જ્યાં રહેતો તેની આસપાસનું પાણી ઝેરી બની ગયું હતું.તેના ડરથી બાળકો ત્યાં જતા ન હતા.

(૩૮) નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું કર્યું?
જ.
નાગણે કૃષ્ણને પાછા મોકલવા વિનંતી કરી. તેને કાલિય નાગથી ડરાવ્યો પણ ખરો. તેને સવા લાખનો હાર આપવાની લાલચ પણ આપી. આમ, કૃષ્ણને ઘણી બધી રીતે પાછો મોકલવા માટે પ્રયત્નો કરી જોયા.

(૩૯) નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો.
જ.
કૃષ્ણ દડો લેવા માટે યમુના નદીમાં ફૂદી પડ્યા.તેમાં રહેતા કાલિય નાગ પાસે જઈ પહોંચ્યાં. નાગણો એ તેમને પાછા મોકલવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ તેઓ પાછા ગયા નહી. આખરે નાગણોએ નાગને જગાડયા અને કૃષ્ણ અને નાગ વચ્ચે ધમાસાણ યુધ્ધ થયું. બંને બળિયાઓ બથંબથ્થ આવી ગયા. આખરે કૃષ્ણએ કાલિય નાગને પોતાના વશમાં કરી લીધો અને એના માથા પર ચઢી બેઠા.કાલિયા નાગ પોતાની હજારો ફૈણ ફુંફવવા લાગ્યો.

(૪૦) નરસૈયા / તુલસીદાસના નાથ પાસેથી નાગણે નાગને છોડાવિયો . ખોટો વિકલ્પ છેકી નાખો.
જ.
તુલસીદાસના

પ્રશ્ન : ૩ કાવ્યપંક્તિઓ પૂર્ણ કરીને લખો :
(૧) જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે;
જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે.... ૧
કહે રે, બાળક, તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો?
નિશ્વે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો ?"..... ૨

(ર) "રંગે રૂડો, રૂપે પૂરો હીંસતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જનમિયા, તેમાં તું અળખામણો ?".... ૪
"મારી માતાએ બે જનમિયા ; તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો".... પ

(૩) ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયો;
"ઊઠોને બળવંત કોઈ બારણે બાળક આવિયો " ...૮
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો,..... ૯

(૪) બેઉ કર જોડી વીનવે : "સ્વામી ! મૂકો અમારા કંથનો,
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને ".... ૧૧
થાળ ભરી શગ મોતીડે શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો.... ૧૨