એસીડ, બેઇઝ અને ક્ષાર

24. તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી અપવામાં આવેલા છે, તો તમે તમને કેવી રીતે ઓળખી શકશો?
ઉત્તર : હળદરપત્ર પર વારાફરતી દરેક દ્રાવણમાં ટીપાં નાખવાથી જે લાલ રંગ બનાવશે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે અને જે કથ્થાઇ રંગ આપે તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે તેમ કહી શકાય. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક અને ખાંડનું દ્રાવણ તટસ્થ પ્રકૃતિ ધરાવે છે.

25. જાસૂદના ફૂલના ઉપયોગથી સૂચક કેવી રીતે બનાવશો?
ઉત્તર : જાસૂદના ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો. તેમાં થોડૂંક ગરમ પાણી રેડો. મિશ્રણને થોડોક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દો. આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો.

26. નીચેના કોષ્ટકમાં આપેલ દ્રાવણમાં જાસૂદના ફૂલના દ્રાવણમાંથી પાંચ–પાંચ બુંદ ઉમેરતાં શું થાય છે? અવલોકન કરી નોંધો :

દ્રાવણનું પરિક્ષણ

પ્રારંભિક રંગ

અંતિમ રંગ

શૅમ્પૂ

લાલ

ઘેરો ગુલાબી (મૅજન્ટા)

લીબુંનો રસ

લાલ

ઘેરો ગુલાબી (મૅજન્ટા)

સોડાવાળું પાણી

લાલ

ઘેરો ગુલાબી (મૅજન્ટા)

સોડિયમ બાય કાર્બોનેટનું દ્રાવણ

લાલ

લીલો રંગ

મીઠાનું દ્રાવણ

લાલ

ખાંડનું દ્રાવણ

લાલ


27. હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લિટમસપત્ર, હળદર પત્ર અને જાસુદના ફુલના દ્રાવણ ઉપર શું અસર કરે છે?
ઉત્તર : હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ રંગનું, હળદર પત્રને કથ્થાઇ રંગનું બનાવે છે તથા જાસુદના ફુલના દ્રાવણને ગુલાબી રંગનું બનાવે છે.

28. જુદા જુદા દ્રાવણો પર જુદા જુદા સૂચકોની અસર લખી કોષ્ટક પૂર્ણ કરો :

દ્રાવણનું નામ

લિટમસપત્ર પર અસર

હળદર પર અસર

જાસુદના ફુલના દ્રાવણ પર અસર

મીઠાનું દ્રાવણ

આંબલીનું દ્રાવણ

ભૂરા લિટમસને લાલ બનાવે છે.

કથ્થાઇ રંગ

ગુલાબી, મેજેન્ટા રંગ

બેકિંગ સોડાનું દ્રાવણ

લાલ લિટમસને ભૂરો બનાવે છે.

લાલ રંગ

લીલા રંગનું


29. એસિડ વર્ષા એટલે શું ?
ઉત્તર : વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડ વર્ષા કહે છે.

30. એસિડ વર્ષા કેમ થાય  છે?
ઉત્તર : વરસાદ કાર્બન ડાયૉક્સાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ જેવા વાયુઓ સાથે ભળીને કાર્બનિક એસિડ, સલ્ફયુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. આથી એસિડ વર્ષા થાય છે.

31. એસિડ વર્ષાથી થતું નુકશાન જણાવો.
ઉત્તર : એસિડ વર્ષા બહુમાળી મકાનો, ઐતિહાસિક સ્મારકો, વનસ્પતિઓ અને પ્રાણીઓ નુકશાન કરે છે.

32. કારણ આપો : પ્રયોગશાળામાં વપરાતા એસિડ તથા બેઇઝને સાવધાની રાખીને વાપરવા જોઇએ.
ઉત્તર : કારણ કે પ્રયોગશાળામાં વપરાતા એસિડ તથા બેઇઝ કુદરતી રીતે જ ક્ષારણનો ગુણધર્મ ધરાવે છે. તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને નુકશાન પહોંચાડે છે.

33. એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં રાખવામાં આવે છે, કારણ કે ............
ઉત્તર : ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે.

34. તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ : તટસ્થીકરણની પ્રક્રિયા સમજવી. મંદ HCl અને NaOH ના દ્રાવણો વચ્ચે થતી તટસ્થીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરવો.
સાધન : કોનિકલ ફ્લાસ્ક, બીકર, ડ્રોપર, લાલ–ભૂરા લિટમસપત્ર
પદાર્થ : મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મંદ દ્રાવણ, ફિનોલ્ફથેલીન
આકૃત્તિ :



પદ્ધતિ : કોનિકલ ફ્લાસ્કમાં 5 થી 10 મિલિ મંદ NaOH લો. આ દ્રાવણની લાલ/ભૂરા લિટમસ સાથે રંગ–પરિવર્તન તપાસો. એ જ રીતે મંદ HCl નું રંગ પરિવર્તન તપાસો. હવે NaOH માં ફિનોલ્ફથેલીન સૂચકનાં 3-4 ટીપાં ઉમેરો. દ્રાવણ ગુબાલી રંગનું બનશે. હવે ડ્રોપરની મંદ HCl નું  દ્રાવણ ટીપે ટીપે, કોનિકલ ફ્લાસ્કને સતત હલાવતાં હલાવતાં ઉમેરો. જ્યારે ફ્લાસ્કનું દ્રાવણ રંગવિહીન બને ત્યારે મંદ HCl ઉમેરવાનું બંધ કરો. કોનિકલ ફ્લાસ્કમાંના દ્રાવણની લાલ અને ભૂરા લિટમસ પર થતી અસ્રર તપાસો.
અવલોકન : 
(1) મંદ NaOH - લાલમાંથી ભૂરો રંગ - બેઈઝીક
(2) મંદ HCl - ભૂરા માંથી લાલ રંગ - એસીડીક
(3) પ્રયોગના અંતે રંગવિહીન દ્રાવણની લિટમસ પર કોઇ અસર થતી નથી.
(4) રાસાયણિક સમીકરણ : HCl + NaOH  -> NaCl + H2O

નિર્ણય : એસિડ અને બેઇઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. જેને તટસ્થીકરણ કહે છે.

35. જ્યારે એસિડિક દ્રાવણ, બેઇઝ દ્રાવણમાં ભળે છે. ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું..................કરે છે.
ઉત્તર : તટસ્થીકરણ

36. જ્યારે એસિડિક દ્રાવણ અને બેઇઝ દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય તો શું થાય ?
ઉત્તર : જ્યારે એસિડિક અને બેઇઝ દ્રાવણ યોગ્ય પ્રમાણમાં ભેગા થાય ત્યારે, તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે જેમાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે.

37. ક્ષાર વિશે નોંધ લખો.
ઉત્તર : તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેને ક્ષાર કહે છે. ક્ષારની પ્રકૃત્તિ એસિડિક, બેઝિક કે તટસ્થ હોઇ શકે છે. એસિડ તથા બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે.
એસિડ + બેઇઝ  ક્ષાર + પાણી (ઉષ્મા ઉત્પન્ન થાય)

38. વ્યાખ્યા લખો : તટસ્થીકરણ 
ઉત્તર : એસિડ તથા બેઇઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.

39. હાઇડ્રોક્લોરિક એસિડ આપણા વધી જાય તો શું થાય છે?
ઉત્તર : પાચન કરવાનું 

40. કારણ આપો : જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસીડની ગોળી લઇએ છીએ.
ઉત્તર : કારણ કે જ્યારે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે આપણને એસિડિટી થાય છે. આથી પ્રતિ એસિડ ગુણ ધરાવતો બેઇઝ લેવો જોઇએ. મિલ્ક ઓફ હાઇડ્રોક્સાઇડ નામનો બેઇઝ ધરાવે છે. જે વધુ પડતાં એસિડ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરી એસિડનું પ્રમાણ ઘટાડે છે.