પાઠ5
: પદાર્થોનું અલગીકરણ
1. ચા ગાળતી વખતે ચા ની ભૂકી ને.............. વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે.
ઉત્તર: ગળણી
2. માખણ મેળવવા માટે દહીં ને શું કરવામાં આવે છે?
ઉત્તર: માખણ મેળવવા માટે દહીને વલોણાં વડે વલોવવામાં આવે છે.
3. દાળ અને ચોખાનું મિશ્રણ કયા ઘટકોમાંથી બને છે?
ઉત્તર: ઘન
4. પ્રવાહી અને વાયુ ઘટકોમાંથી બનતા એક મિશ્રણનુ ઉદાહરણ આપો.
ઉત્તર: સોડાવોટર એ પ્રવાહી અને વાયુ ઘટકોમાંથી બનતા મિશ્રણનું એક ઉદાહરણ છે.
5. શા માટે આપને મિશ્રણના વિવિધ ઘટકો ને અલગ કરીએ છીએ? બે ઉદાહરણો આપો .
ઉત્તર : બે કે તેથી વધારે પદાર્થો માટે બનેલા મિશ્રણમાં કેટલાક ઉપયોગી તથા કેટલાક બિન- ઉપયોગી ઘટકો હોય છે. અલગીકરણ દ્વારા બિન- ઉપયોગી નુકસાનકારક ઘટક દૂર કરી શકાય છે. ઉદા. ઘઉં કે ચોખા માંથી કાકરા, છોતરા દૂર કરવા. ક્યારેક મિશ્રણના ઘટકોને જુદી-જુદી રીતે ઉપયોગમાં લેવાના હોય છે. ઉદા. તરીકે દહીંને વલોવીને માખણ અને છાશ અલગ મેળવીને ઉપયોગ કરીએ છીએ.
6. ચોખામાંથી કાંકરા દૂર કરવાનો હેતુ : ................
ઉત્તર : કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા
7. માખણ મેળવવા છાશને વલોવવાનો હેતુ : ...........
ઉત્તર : બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા
8. ચા માંથી ચા ની ભૂકી અલગ કરવાનો હેતુ : ..........
ઉત્તર : ઉપયોગી ઘટક ને દુર કરવા
9. કેવા પદાર્થોને એકબીજાથી જુદા પાડી શકાય?
ઉત્તર : રંગ , કદ , આકાર , ઘનતા દ્રાવ્યતા જેવા ગુણધર્મો અલગ અલગ હોય, તેવા ઘટકોના મિશ્રણમાંથી દરેક ઘટકને એકબીજાથી જુદા પાડી શકાય.
10. અલગીકરણ એટલે શું? અલગીકરણ ની પદ્ધતિઓ જણાવો.
ઉત્તર : બે કે તેના કરતાં વધારે ઘટકોના મિશ્રણમાંથી તેમના ભૌતિક ગુણધર્મો ના આધારે ઉપયોગી, બિન ઉપયોગી ઘટકો ને છૂટા પાડવાની પદ્ધતિ ને અલગીકરણ કહે છે. વીણવુ, ચાળવું , છડવું, નિતારવું, ગાળવું, બાષ્પીભવન વગેરે અલગીકરણ ની વિવિધ પદ્ધતિઓ છે.
11. નાના પદાર્થોને અલગ કરવા માટે હાથ વડે વીણવાની પદ્ધતિ ની સમજૂતી આપો.
ઉત્તર : ઘઉં, ચોખા કે દાળમાંથી જોઈ શકાય તેવા મોટા કદના કાંકરા, ફોતરા કે અન્ય કચરો હાથ વડે સરળતાથી વીણી ને સરળતાથી દૂર કરી શકાય છે. વીણવા યોગ્ય ઘટકો નો જથ્થો બહુ મોટો ન હોવાથી બિનજરૂરી ઘટકોને દૂર કરી શકાય છે.
12. કઠોળમાંથી કાકરા દૂર કરવા માટે કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઉત્તર : વીણવું
13. અનાજમાંથી કાકરા શા માટે દૂર કરવામાં આવે છે?
ઉત્તર : અનાજ અને કાંકરા મિશ્રણમાં અનાજ એ ઉપયોગી ઘટક છે. જ્યારે કાંકરા બિન ઉપયોગી ઘટક છે. તેથી અનાજમાંથી વીણવાની પદ્ધતિ દ્વારા કાંકરા દૂર કરવામાં આવે છે.
14. રોજિંદા જીવનમાં વીણવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર :
(1)ઘઉં કાકરા ફોતરા ના મિશ્રણમાંથી બિનજરૂરી કટકો દૂર કરવા.
(2) ચોખામાંથી કાંકરા દૂર કરવા.
(3) અનાજ કઠોળ કે દાળ માંથી કાંકરા દૂર કરવા.
15. ઘન પદાર્થોના મિશ્રણમાંથી બિનજરૂરી ઘટકો વીણવાની પદ્ધતિ વડે સરળતાથી છુટા પાડી શકાય તે માટે છુટા પાડવા ના ઘટકો કેવા હોવા જોઈએ?
ઉત્તર : છુટા પાડવા ના ઘટકો રંગ , આકાર અને કદમાં એકબીજાથી અલગ હોવા જોઈએ. દરેક ઘટકને નરીઆંખે સ્પષ્ટ રીતે જોઈ શકાય તથા હાથથી પકડી શકાય તેવા હોવા જોઈએ.
16. ડુંડામાંથી દાણા કાઢતા પહેલા તેને.............. મા સૂકવવામાં આવે છે
ઉત્તર : તડકા
17. વ્યાખ્યા આપો : છડવું
ઉત્તર : ડૂંડા કે કણસલા માંથી દાણાને અલગ કરવાની રીત ની છડવું કહે છે.
18. ડુંડામાંથી દાણાની કેવી રીતે અલગ કરવામાં આવે છે?
ઉત્તર : ડૂંડા ને લઈ લીધા પછી તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ ડૂંડા ને ઝૂડવામાં આવે, ક્યારેક બળદ વડે છડવામાં આવે છે. હવે થ્રેસર વડે એક સાથે મોટા જથ્થામાં ડૂંડામાંથી દાણા છૂટા પાડી શકાય છે.
19. ચોખામાં દાણાને કુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને............ કહે છે.
ઉત્તર : છડવું
20. વ્યાખ્યા આપો: ઊપનવું
ઉત્તર: મિશ્રણમાં રહેલાં ભારે અને હલકાં ઘટકોને પવન વડે કે ફુંકાતી હવા વડે અલગ કરવાની ક્રિયાને ઊંપનવું કહે છે.
21. ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે?
ઉત્તર : જ્યારે મિશ્રણ ના ઘટકો સરળતાથી દેખાતા ન હોય , ઘટકોના કણોના કદ સમાન હોય, તેમને વીણીને અલગ કરી શકાતા ના હોય ત્યારે ઊપણવાની પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટકો પરસ્પર હલકા , ભારે હોવા જરૂરી છે.
22. અનાજ ઝીણો કચરો દૂર કરવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઉત્તર : અનાજના ભારે દાણામાંથી હળવો ઝીણો કચરો દૂર કરવા ઊપણવાની પદ્ધતિ વપરાય છે.
15. ઘન પદાર્થોના મિશ્રણમાંથી બિનજરૂરી ઘટકો વીણવાની પદ્ધતિ વડે સરળતાથી છુટા પાડી શકાય તે માટે છુટા પાડવા ના ઘટકો કેવા હોવા જોઈએ?
ઉત્તર : છુટા પાડવા ના ઘટકો રંગ , આકાર અને કદમાં એકબીજાથી અલગ હોવા જોઈએ. દરેક ઘટકને નરીઆંખે સ્પષ્ટ રીતે જોઈ શકાય તથા હાથથી પકડી શકાય તેવા હોવા જોઈએ.
16. ડુંડામાંથી દાણા કાઢતા પહેલા તેને.............. મા સૂકવવામાં આવે છે
ઉત્તર : તડકા
17. વ્યાખ્યા આપો : છડવું
ઉત્તર : ડૂંડા કે કણસલા માંથી દાણાને અલગ કરવાની રીત ની છડવું કહે છે.
18. ડુંડામાંથી દાણાની કેવી રીતે અલગ કરવામાં આવે છે?
ઉત્તર : ડૂંડા ને લઈ લીધા પછી તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ ડૂંડા ને ઝૂડવામાં આવે, ક્યારેક બળદ વડે છડવામાં આવે છે. હવે થ્રેસર વડે એક સાથે મોટા જથ્થામાં ડૂંડામાંથી દાણા છૂટા પાડી શકાય છે.
19. ચોખામાં દાણાને કુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને............ કહે છે.
ઉત્તર : છડવું
20. વ્યાખ્યા આપો: ઊપનવું
ઉત્તર: મિશ્રણમાં રહેલાં ભારે અને હલકાં ઘટકોને પવન વડે કે ફુંકાતી હવા વડે અલગ કરવાની ક્રિયાને ઊંપનવું કહે છે.
21. ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે?
ઉત્તર : જ્યારે મિશ્રણ ના ઘટકો સરળતાથી દેખાતા ન હોય , ઘટકોના કણોના કદ સમાન હોય, તેમને વીણીને અલગ કરી શકાતા ના હોય ત્યારે ઊપણવાની પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટકો પરસ્પર હલકા , ભારે હોવા જરૂરી છે.
22. અનાજ ઝીણો કચરો દૂર કરવા કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
ઉત્તર : અનાજના ભારે દાણામાંથી હળવો ઝીણો કચરો દૂર કરવા ઊપણવાની પદ્ધતિ વપરાય છે.
0 Comments