પાઠ5 : પદાર્થોનું અલગીકરણ

 23. ચણામાંથી ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? 

ઉત્તર : ચણા ભારે અને ફોતરા હલકાં હોવાથી ઊપણવાની ક્રિયા દ્વારા ફોતરા અલગ કરવામાં આવે છે. 

24. રોજિંદા જીવનમાં ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો. 
ઉત્તર : (1)સિંગદાણાને શેકી ને તેના ફોતરા દૂર કરવા. (2)ચણાના છોડા દૂર કરવા.(2) અનાજ, જીરૂ, વરિયાળી વગેરેમાંથી હલકો કચરો દૂર કરવા ઊપણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. 

25. ઊપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. 
ઉત્તર : ઊપણવાની માટેના મિશ્રણને ખુલ્લા મેદાનમાં કે ઉંચા પ્લેટફોર્મ પર લઇને ઉભા રહો. આ મિશ્રણને ડીશ , કાગળ કે સુપડા લો. તેને ખંભા જેટલી ઊંચાઈ રાખી, થોડું નમાવી આ મિશ્રણને નીચે તરફ સરકવા દેવું. પવનના કારણે હલકા કટકો દૂર જઈને પડશે જ્યારે ભારે ઘટકો નજીક જ પડશે. 

26. રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ પદ્ધતિથી દૂર કરશો ? 
ઉત્તર : રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણો ઊપણવાની ક્રિયાથી અલગ કરીશું. 

27. ઝીણું મીઠું અને દળેલી ખાંડ ને ઊપણવાની પદ્ધતિથી અલગ ન કરી શકાય કારણકે.... 
ઉત્તર : જો મિશ્રણના ઘટકોના કણોના કદ અને ઘનતા જુદા જુદા હોય, એટલે કે હલકાપણું અને ભારે પણું અલગ અલગ હોય તો પવન દ્વારા અલગ પડી શકે. ઝીણું મીઠું અને દળેલી ખાંડના કણોમાં આ તફાવત બહુ નાનો હોવાથી ઊપણવાની ક્રિયા દ્વારા અલગ કરી શકાય નહીં. 

28. વ્યાખ્યા આપો: ચાળવું 
ઉત્તર : જ્યારે મિશ્રણમાંના ઘટકોના કણો અલગ-અલગ કદ ના અને ઘન સ્વરૂપમાં હોય ત્યારે ચાળણી ના છિદ્રો દ્વારા અલગ પાડવાની ક્રિયાને ચાલવું કહે છે. 

29. રોજિંદા જીવનમાં ચાળવા ની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો. 
ઉત્તર : (1) લોટમાંથી ભુંસું અને થુલું દૂર કરવા.(2) બાંધકામ કરતી વખતે રેતીમાંથી પથ્થર અને કાંકરા દૂર કરવા.(3) રાઈ, તલ, જીરૂ વગેરેમાંથી ઝીણી કાંકરી દૂર કરવા ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. 

30. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવાની સાથે વપરાય છે? 
ઉત્તર : ચાળણી 

31. ચાળવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. 
ઉત્તર : અનાજ દળવાની ઘંટી માં ઘઉં થેલો ભરીને ત્રાસા ,મોટા , ચાળણ પરથી પસાર કરવામાં આવે છે. ‍ચાળણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાંકરા, ડાળખાં અને ફોતરા દુર કરે છે. આમ અનાજ છૂટું પડે છે.ચાળવાની રીત દ્વારા નાના, ઘન ,અદ્રાવ્ય બિનજરૂરી ઘટકોને દૂર કરી શકાય છે. 

32. વ્યાખ્યા આપો: નિક્ષેપણ 
ઉત્તર : જ્યારે મિશ્રણ માં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેરવાથી પાત્ર માં તળીયે નીચે બેસી જાય છે એને નિક્ષેપણ કહે છે. 

33. વ્યાખ્યા આપો: નિતારણ 
ઉત્તર: મિશ્રણને પાણીમાં ઉમેરી હલાવી થોડીવાર પછી ઉપરના પ્રવાહને અન્ય પાત્રમાં લઈ નિશ્ચિત પદાર્થોથી અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે. 

34. પાણીમાં રહેલી કેવા પ્રકારની અશુદ્ધિ નિતારણ પદ્ધતિના ઉપયોગથી દૂર કરી શકાય છે? 
ઉત્તર : પાણીમાં રહેલી અદ્રાવ્ય અને હલકી અશુદ્ધિઓને નિતારણ દ્વારા દૂર કરી શકાય છે. પાણીમાં રહેલ ધૂળ કે માટી ના રજકણો હળવા હોય છે તેથી દૂર કરી શકાય. 

35. રોજિંદા જીવનમાં નિતારણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. 
ઉત્તર : દાળ અને ચોખા માં રહેલી અદ્રાવ્ય સુધી વજનમાં હળવી હોય છે. રાંધતા પહેલાં દાળ ચોખા માં પાણી રેડી સહેજ હલાવી સ્થિર રાખતા ઉપર આવી જાય છે. પાત્રને નમાવીને ધુળવાળુ પાણી દૂર કરવામાં આવે છે. આ રીતે રોજીદા જીવનમા રસોઈ કરતા પહેલા ની તારા પદ્ધતિનો ઉપયોગ થાય છે. 

36. નિતારણ પદ્ધતિથી મિશ્રણના કયા ઘટકો દૂર કરી શકાય છે? 
ઉત્તર : પાણી કરતાં હલક અદ્રાવ્ય ઘન પદાર્થ 

37. છાશમાંથી વધારાના પાણીનો ભાગ દૂર કરવાની પદ્ધતિ નો ઉપયોગ થાય છે? 
ઉત્તર : નિતારણ 

38. એક બીજા માં ન ભળી જાય તેવા બે પ્રવાહી મિશ્રણ ને કેવી રીતે લગ્ન કરશો? 
ઉત્તર : બંને પ્રવાહીના મિશ્રણને હલાવીને સ્થિર કરતાં હળવો ઘટક ઉપરનું અલગ સ્તર રચે છે, જેને નિતારણ દ્વારા અલગ કરી લઇ લેવામાં આવે છે. 

39. એક બીજામાં ન ભળેતેવા પ્રવાહી પદાર્થોનું મિશ્રણ ને છુટા પાડવા માટે કયું સાધન વપરાય છે? 
ઉત્તર : પુથકરણ ગળણી 

40. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વધુ સરળ છે? 
ઉત્તર: ગાળવું 

41. તફાવત આપો: ગાળણ અને નિતારણ

ગાળણ

નિતારણ

1. પ્રવાહી અને તેમાં અદ્રાવ્ય ઘન પદાર્થોના મિશ્રણને ગળણી વડે અલગ કરવાની પદ્ધતિને ગાળણ કહે છે.

2. દા.ત., ચા બનાવ્યા પછી ચાની પત્તીને ગળણી વડે દૂર કરીએ છીએ.

1. મિશ્રણમાં પાણી ઉમેરી, હલાવી, થોડીવાર પછી દ્રાવણને અલગ પાત્રમાં લઇ, નિક્ષેપિત પદાર્થથી અલગ પાત્રમાં લઇ, નિક્ષેપિત પદાર્થથી અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે.

2. દા.ત., દાળ–ચોખામાં રહેલી ધૂળને નિતારણ દ્રારા દૂર કરીએ છીએ.