પ્રકરણ 1 समर्चनम्

ભાષાંતર

वैदिकम्

1. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશ વાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર, તેમજ રત્નોને ધારણ કરનાર,અગ્નિની સ્તૂતિ કરું છું.

2. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ! હું (તમારા) વ્રતનું પાલન કરીશ. તે વ્રતની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્યના માર્ગ થી સત્યના માર્ગમાં ગતિ કરું છું. 

3. કલ્યાણ કે સુખને જન્મ આપનાર એવા અને સુખના દાતા ને નમસ્કાર હો! જે કલ્યાણ કરે છે તેમજ સુખકારી છે તેને નમસ્કાર હો! જે શિવ (પરમ કલ્યાણ રૂપ) અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો! 

 लौकिकम्

4. જેની બ્રહ્મા, વરૂણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે;  સામ નું ગાન કરનારા  (ઋષિઓ) જેનું છ વેદાંગો, પદ પાઠ, ક્રમ પાઠ, તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે; જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે; જેના અંતને દેવો તેમજ અસુર ગણો જાણતા નથી, તે દેવને-દિવ્ય રૂપ ધારી પરમેશ્વરને નમસ્કાર હો! 

5. (હે ઈશ્વર! તું) ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણીમાત્રની તુ ગતિ છે, પવિત્ર વસ્તુઓ માં તુ પાવન છે, મોટા અને ઊંચા પદ ધરાવનારનો તુ એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં તુ રક્ષક છે. 

6. અમે તમારું સ્મરણ કરીએ છીએ; અમે તમને ભજીએ છીએ; અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ; તમે એક માત્ર સત્ય'ને થી છો; તમે આધાર વિહોણા ઈશ્વર છો; તમે સંસાર રૂપી સાગર ને પાર કરનાર નાવ છો; શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ.

         સ્વાધ્યાય

પ્રશ્ન 1.अधोलिखितेभ्य: विकल्पेभ्य: समुचितम्उत्तरं चिनुत  |

1. कम पुरोहितम् इडे?
उत्तरम् - अग्निं पुरोहितम् इडे|

2. यज्ञयज्ञस्य देव: क: अस्ति?
उत्तरम् - यज्ञयज्ञस्य देव:अग्नि:अस्ति|

3.अहं किं चरिष्यामि?
उत्तरम् - अहं आनृतात् सत्यं प्रति गमनाय व्रतं चरिष्यामि|

4. दिव्यै: स्तवै: के स्तुवन्ति?
उत्तरम् - ब्रह्मा, वरुण, इंद्र, रूद्र, मारुत, च दिव्यै: स्तवै: स्तुवन्ति|

5.वयं कं शरणं व्रजाम: ?
उत्तरम् - वयं निरालम्बम् ईशं शरणं व्रजाम:

પ્રશ્ન-2 प्रकोष्ठात् उचितं पदं चित्वा वाक्यपुर्तिं कुरुते |

1.अहं_ रत्नरत्नधातमम् ईळे|(अग्निम्, यज्ञम्, पुरोहितम्)

अग्निम्

2. इदम् अहम् _उपैमि|(अनृतात, सत्यम्, व्रतम्)

व्रतम्

3. योगीन:_पश्यन्ति|(ज्ञानेन, चक्षुषा,मनसा)

मनसा

4. सूरासूरगणा: देवस्य_न विदु:|(स्वरूप, निवासम्, अन्तर्गत)

अन्तम्

5. वयं जगतसाक्षि रूपम त्वां__|( भजाम:,नमाम:,स्मराम:)

नमाम:

પ્રશ્ન-3 प्रकोष्ठगतं पदम प्रयोज्य अधोलिखितानी वाक्यानी प्रश्नार्थ स्वरूपे परिवर्तयत |

1.देवाय नमः(कस्मै) 
જવાબ : कस्मै नमः?

2.साङ्ग-पद-क्रमोपनिषदै: वेदै: सामगा: गायन्ति (के)
જવાબ : साङ्ग-पद-क्रमोपनिषदै: वेदै: के गायन्ति?

3.योगीनःदेवं पश्यति (कम्)
જવાબ : योगीनःकं पश्यति?

प्रश्न 4. अधोलिखितानां प्रश्नानाम् मातृभाषायाम् उत्तराणी लिखित |

1. અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે?
જવાબ : અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ ગુરુ છે, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે, દિવ્ય પ્રકાશથી પ્રકાશિત દેવ છે, હોમ હવન કરાવનાર છે, તેમજ રત્નોને ધારણ કરનાર છે.

2. અગ્નિથી ક્યુ વ્રત લેવામાં આવ્યું છે?
જવાબ : અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે.

3. યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે?
જવાબ : યોગ્ય ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે.

4. ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ કેવું છે?
જવાબ : ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોનો ભયરૂપ તત્વ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણીમાત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં પાવન છે, ઉચ્ચ હોદ્દો ધરાવનાર નું એકમાત્ર નિયંત્રક છે, ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે

प्रश्न 5 श्लोकपूर्ति कुरूत 
1.अग्निमीळे_रत्नधातमम् ।।

अग्निमीळे पुरोहितं यज्ञस्रय देवमृत्विजम् ।
होतारं रत्नधातमम् ।।

2.नमःशंभवाय__शिव-तराय च ।।

नमःशंभवाय च भवोभवाय च नमः शंकराय च ।
मयस्कराय च शिव-तराय च ।।

3.वयं त्वां स्मरामो__व्रजामः ।।

वयं त्वां स्मरामो वयं त्वां भजाम
वयं त्वां जगत्साक्षिरुपं नमामः।

सदेकं निधानं निरालम्बमीशम्
भवाम्भोधिपोतं शरण्यं व्रजामः ।।