1. વ્યાખ્યા આપો : કંપન
ઉત્તર :
પદાર્થની કે પદાર્થના કણોની આગળ - પાછળ કે ઉપર - નીચે થતી ગતિને કંપન કહે છે.

2. વ્યાખ્યા આપો : કંપવિસ્તાર
ઉત્તર :
કંપન કરતી વસ્તુના સમતોલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપવિસ્તાર કહે છે.

3. કંપિત થતી થાળીમાં જો પાણી હોય તો પાણીમાં____ ઉત્પન્ન થાય છે.
ઉત્તર :
તરંગો

4. ધ્વનિ પ્રબળતા વસ્તુના કંપનના______વિડે નક્કી થાય છે.
ઉત્તર :
કંપવિસ્તાર

5. કેટલાક કિસ્સાઓમાં કંપનોનું નિદર્શન શા માટે થઈ શકતું નથી?
ઉત્તર :
કેટલાક કિસ્સાઓમાં ઉત્પન્ન થતાં કંપનનો કંપવિસ્તાર ખૂબ જ નાનો હોવાના કારણે તે કંપનો જોઈ શકાતા નથી.

6. નીચેના કોષ્ટકમાં સંગીત વાઘોના કંપન કરતા ભાગ જણાવો :

ક્રમ

સંગીત વાદ્ય

કંપન કરતો ભાગ

1.

ડ્રમ

ચામડાનો પડદો

2.

મંજીરા

પતરાં વડે બનેલી વસ્તુ

3.

વીણા

તણાયેલી દોરી

4.

તબલાં

ખેંચાયેલી સપાટી (મેમ્ર્બેન)

5.

વાંસળી

હવાનો સ્તંભ

6.

 ઢોલક

ખેંચાયેલી ત્વચા (મેમ્બ્રેન)

7.

સિતાર

તાર

8.

એકતારો

તાર


7.કયાં સંગીતનાં વાઘોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે તો ધ્વનિ ઉત્પન્ન કરે છે?
ઉત્તર :
મંજીરા,માટીના ઘડા અને કરતાલ વગેરેને ફક્ત ટીપવાથી કે અથડાવવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે.

8.તબલાંની સપાટી ઉપર પ્રહાર કરતાં,ત્યારે જે ધ્વનિ સંભળાય તે તબલાંની સપાટીનો જ છે.
ઉત્તર :
ખોટું

9. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
ઉત્તર :
કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે.

10. નીચેનામાંથી ધ્વનિ શામાંથી ઉત્પન્ન થતો નથી?
(A) વસ્તુને અડકવાથી 
(B) વસ્તુને ઘસવાથી 
(C) વસ્તુમાં ધ્રુજારી થવાથી 
(D) બે વસ્તુ અથડાવાથી
ઉત્તર :
A

11. સ્વરપેટી એટલે શું?
ઉત્તર :
મનુષ્યોમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે.

12. સ્વરપેટીનું બીજું નામ_____છે.
ઉત્તર :
કંઠસ્થાન

13. સ્વરપેટી_____ના ઉપલા છેડા પર હોય છે.
ઉત્તર :
શ્વાસનળી

14. સ્વરતંતુઓ એટલે શું?
ઉત્તર :
સ્વરપેટી અથવા કંઠસ્થાનની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી સ્લિટની રચના થાય છે ધનને સ્વરતંતુઓ કહે છે.

15. સ્વર પેટી ની આકૃતિ દોરી તેનું કાર્ય સમજાવો.
ઉત્તર :


મનુષ્યોમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. બે સ્વરતંતુઓ સ્વરપેટીથી એવી રીતે ખેંચાયેલ હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. જ્યારે ફેફસાં તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુઓ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જેને લીધે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે.

16. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે?
(A) નાની છોકરીની 
(B) નાના છોકરાની 
(C) પુરુષની 
(D) સ્ત્રીની
ઉત્તર :
C

17. અવાજના પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા કેમ હોય છે?
ઉત્તર :
સ્વરપેટીમાં રહેલા સ્વરતંતુઓ જ્યારે કંપન અનુભવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છ . જયારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે આવૃત્તિ વધુ હોય છે અને જયારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજની આવૃત્તિ ઓછી હોય છે. આમ, ધ્વનિની આવૃત્તિમાં ફેરફારને લીધે અવાજના પ્રકાર અને ગુણવત્તા જુદા - જુદા હોય છે.

18. પુરુષોમાં સ્વરતંતુઓ કેટલા લાંબા હોય છે?
ઉત્તર :
20 mm

19. સ્ત્રીઓમાં સ્વતંતુઓ લગભગ_____ જેટલા લાંબા હોય છે.
ઉત્તર :
5 mm

20. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા લાંબા હોય છે.
ઉત્તર :
ખરું

21. ધ્વનિને પ્રસરવા માધ્યમની જરૂર પડે છે.
ઉત્તર :
ખરું

22. અવાજનું પ્રસરણ શામાં થઈ શકતું નથી?
ઉત્તર :
અવાજનું પ્રસરણ શૂન્યાવકાશમાં થઈ શકતું નથી.

23. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકે છે.
ઉત્તર :
ખોટુ

24. કારણ આપો : શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી.
ઉત્તર :
ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ કે સૂક્ષ્મ કણોના કંપનની જરૂર છે. આ માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ પૈકી કોઈ પણ હોઈ શકે. શૂન્યાવકાશમાં કોઈ જ પ્રકારના દ્રવ્યો હોતા નથી. આથી શૂન્યાવકાશમાં માધ્યમની ગેરહાજરીના કારણે ધ્વનિ પ્રસરણ પામતો નથી.

25. કારણ આપો : ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી.
ઉત્તર :
ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી, કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિને પ્રસરવા માટે માધ્યમના કણ ના કંપનની જરૂર પડે છે. પૃથ્વી પર બોલતી વખતે ધ્વનિ - પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર પર નથી. પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી.

26. ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
 
હેતુઃ ધ્વનિ પ્રવાહી માધ્યમમાં પ્રસરણ પામે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી : ડોલ કે બાથટબ, ઘંટડી,
આકૃતિ :













પદ્ધતિ : સૌ પ્રથમ એક ડોલ કે બાથટબ લો. આ ડોલ કે બાથટબને સ્વચ્છ પાણીથી ભરો. હવે, એક નાની ઘંટડી લો. આ ઘંટડીને પાણીમાં ઉતારો અને હાથ વડે પકડી રાખો. ધ્યાન રાખો કે ઘંટી ડોલ કે બાથટબને અડકેલી ન હોય. હવે, ઘંટડીને એવી રીતે હલાવો કે તે પ્રેલ કે બાથટબને ન અડકે. ઘંટડી હલાવતા રહી તમારા કાનને પાણીની સપાટી પર રાખો. ધ્યાન રાખો કે પાણી કાનમાં ન જાય. આ સ્થિતિમાં ઘંટડીનો અવાજ સંભળાય છે કે નહીં તે નોંધો.
અવલોકન : પાણીમાં પડી વગાડતા ઘંટડીનો અવાજ પાણીની બહાર પણ સંભળાય છે.
નિર્ણય : ધ્વનિ પ્રવાહી માધ્યમમાં પ્રસરણ પામે છે.

27. આકાશમાં ઉડતા વિમાન નો અવાજ શૂન્યવકાશ માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે છે.
ઉત્તર :
ખોટું

28. આપણી આસપાસ નો અવાજ હવાના માધ્યમ દ્વારા સંભળાય છે.
ઉત્તર :
ખરું

29. નીચેનામાંથી શેમાં પ્રસારણ પામી શકશે?
(A) લોખંડની ફૂટપટ્ટી 
(B) લાકડાની ફૂટપટ્ટી 
(c) ખેંચાયેલી દોરી 
(D) આપેલ તમામ
ઉત્તર :
D

30. ધ્વનિ દોરીમાં પ્રસરણ પામી શકતો નથી.
ઉત્તર :
ખોટું

31. આઇસક્રીમના કપ વડે રમકડાનો ટેલિફોન બનાવતાં અવાજ શેના દ્વારા પ્રસરણ પામશે? તેના કયા ભાગમાં કંપન જોવા મળશે?
ઉત્તર :
આઇસક્રીમના કપ વડે રમકડાનો ટેલિફોન બનાવી સામ-સામેના કપ પૈકી કોઈ એક કપમાં બોલતા અવાજ દોરી દ્વારા પ્રસરણ પામે છે. આથી દોરીમાં કંપન જોવા મળે છે. દોરીના માધ્યમ દ્વારા પ્રસરતો અવાજ બીજે છેડે કપમાં સાંભળી શકાય છે.

32. ધ્વનિ___ માધ્યમમાં પ્રસરી શકે.
ઉત્તર :
ધન, પ્રવાહી અને વાયુ

33. જુદાં જુદાં માધ્યમોમાં ધ્વનિ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે.
ઉત્તર :
ખરું

34. શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે?
(A) શૂન્યાવકાશ 
(B) તેલ 
(C) પાણી 
(D) હવા
ઉત્તર :
D

35. કાનની બહારના ભાગનો આકાર___જેવો છે.
ઉતર :
ગરણી

36. કાનનો પડદો એ___ નો ભાગ છે.
ઉત્તર :
શ્રવણ અંગ

37. કાનનો પડદો એક ખેંચાયેલા____ ના પડ જેવો હોય છે.
ઉત્તર :
રબર

38. કાનના પડદાનું કાર્ય જણાવો.
ઉત્તર :
કાનમાં પ્રવેશેલો ધ્વનિ કાનના સંવેદનશીલ પડદાને કંપિત કરે છે. કાનનો પડદો આ કંપનને આંતરિક કાન સુધી મોકલે છે. અને આંતરિક કાનથી આ ધ્વનિ તરંગો મગજ સુધી પહોંચે છે.

39. ધ્વનિ આપણને કેવી રીતે સંભળાય છે, તે માનવ કાનની આકૃતિ દોરી સમજાવો.
ઉત્તર :


કાનની બહારના ગરણી જેવા આકારમાં જ્યારે ધ્વનિ પ્રવેશે છે, ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. કાનમાં પ્રવેશેલા ધ્વનિતરંગો કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો આ કંપનીને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ.

40. કારણ આપો : કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં.
ઉત્તર :
કાનમાં આવેલો કર્ણપટલ એટલે કે કાનનો પડદો પાતળો હોય છે. જે કાનમાં તીક્ષ્ણ - અણીદાર વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુક્સાન થવાની શક્યતા છે. જેના કારણે આપણી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. આથી, કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં.

41. વ્યાખ્યા આપો : 
(1) દોલિત ગતિ
ઉત્તર : જયારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની સાપેક્ષ ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તે પદાર્થની ગતિને દોલિત (આંદોલિત) ગતિ કહે છે.
(2) આવૃત્તિ
ઉત્તર :
એક સેકન્ડ દીઠ થતાં દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે.

42. આવૃત્તિનો એકમ_____ છે.
ઉતર :
હટ્ઝ

43. હટ્ઝ નોસંકેત___ છે.
ઉત્તર :
HZ

44. 1 હટઝ એટલે શું?
ઉત્તર :
કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે, તો તેના કંપનની આવૃત્તિ 1 HZ કહેવાય છે.