1. ઇ.સ. 1707માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?
(A) અકબર
(B)બહાદુર શાહ
(C) જહાંગીર
(D)ઔરંગઝેબ     

2. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુરશાહ નામનો સુલતાન આવ્યો.(√ કે ×) 
ઉત્તર:-

3. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો ?
(A)અમરદાસ
(B) રામદાસ
(C)બંદાબહાદુર     
(D)અર્જુનદેવ

4. ઈ.સ. 1712માં બહાદુર શાહનું અવસાન થતાં__ ગાદી પર આવ્યો.
ઉત્તર:-
જહાંદરશાહ

5. જહાંદરશાહપછી ___મુઘલ ગાદી પર બેઠો.
ઉત્તર:-
ફરુખસિયર

6. મહંમદશાહ મુઘલ બાદશાહ કેવી રીતે બન્યો?
ઉત્તર:-
સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ મુઘલ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા. તેમણે ફરુખસિયર ને ગાદી પરથી ઉઠાડી મહંમદશાહને મુઘલ બાદશાહ બનાવ્યો.

7. ઈ.સ.1739માં ભારત પર કોણે આક્રમણ કર્યું?
(A) હુમાયુએ
(B) નાદિરશાહે     
(C)સૈયદ બંધુઓએ
(D)સિરાજ- ઉદ્- દૌલાએ

8. શાહઆલમ બીજો કંપનીનો પેન્શનર કેવી રીતે બન્યો?
ઉત્તર:-
ઈ.સ 1764 માં અંગ્રેજ કંપની અને શાહઆલમ બીજા વચ્ચે બકસરનું યુદ્ધ થયું આ યુદ્ધમાં શાહઆલમની હારથી તે કંપનીનો પેન્શનર બની ગયો.

9. મુઘલવંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ના શકાય?
(A) શાહઆલમ બીજો
(B)મહંમદશાહ
(C)જહાંદરશાહ
(D)જહાંગીર     

10. મુઘલ ઘરાનાના ઔરંગઝેબ પછીના અંતિમ શાસકોનાં નામ ક્રમશ: લખો.
ઉત્તર:-
મુઘલ ઘરાનાના ઔરંગઝેબ પછીના અંતિમ શાસકો : 
(1) બહાદુરશાહ 
                                                                     (2) જહાંદર શાહ 
                                                                     (3) ફરુખસિયર
                                                                     (4) મહંમદશાહ 
                                                                     (5) અહમદશાહ બહાદુર
                                                                     (6) આલમગીર બીજો
                                                                     (7) શાહઆલમ બીજો 
                                                                     (8) અકબર શાહ બીજો
                                                                     (9) બહાદુરશાહ બીજો

11. બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
ઉત્તર:-
બંગાળમાં સ્વતંત્ર રાજયની સ્થાપના મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ કરી હતી.

12. બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું ? 
ઉત્તર : બંગાળના પ્રથમ નવાબનું નામ મુર્શિદકુલીખાં હતું.

13. ઈ.સ. 1757 માં કોણ બંગાળનો નવાબ બન્યો ?
(A) અલીવર્દીખાં
(B) જહાંદરશાહ
(C) બંદાબહાદુર
(D) સિરાજ-ઉદ્ -દૌલા     

14.ઈ.સ.1757 માં પાણીપતનું યુદ્ધ થયું. (√ કે ×)
ઉત્તર:- ×

15. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું ? તેનું શું પરિણામ આવ્યું ?
ઉત્તર:-
ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ સિરાજ - ઉદ્ - દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું . યુદ્ધના પરિણામ સ્વરૂપે નવાબની હારથી બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું.

16. મુઘલ સામ્રાજયના પતન બાદ રાજસ્થાનનું કયું રાજય સૌથી શક્તિશાળી હતું ?
(A) જયપુર      √

(B) જોધપુર
(C) જેસલમેર
(D) ઉદયપુર

17. રાજા સવાઈ જયસિંહ કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા ?
ઉત્તર:-
રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્દ, વિજ્ઞાનપ્રેમી અને ખગોળશાસ્ત્રી હતા.

18. જયપુરની સ્થાપના કોણે કરી હતી ?
ઉત્તર :-
રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી.

19. રાજા સવાઈ જયસિંહ ખગોળશાસ્ત્રી પણ હતા. (√ કે X )
ઉત્તર :-


20 . ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી ?
(A) અકબર
(B) સવાઈ જયસિંહ     
(C) જશવંતસિંહ
(D) રાણા પ્રતાપ

21. રાજા સવાઈ જયસિંહે વેધશાળાની સ્થાપના કયા શહેરમાં કરી હતી?
ઉત્તર:-
રાજા સવાઈ જયસિંહે ભારતમાં દિલ્હી ,જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાની સ્થાપના કરી હતી.

22. સવાઈ જયસિહનું વિજ્ઞાનક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો.
ઉત્તર:-
રાજ સવાઈ જયસિંહ કુશળ ૨ાજનેતા, સુધારક, કાયદાવિદ્, વિજ્ઞાનપ્રેમી અને મહાન ખગોળશાસ્ત્રી હતા . તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. ભારતમાં દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાની સ્થાપના કરી હતી.

23. 15 મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી ?
(A) બદાબહાદુરે
(B) ગુરુ નાનકે     
(C) ગુરુ ગોવિંદસિંહે
(D) ત્રણેયે મળીને

24.__ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે.
ઉત્તર:-
શીખ

25. મને ઓળખો : હું શીખોનો ૧૦ મો ગુરુ છે.
ઉત્તર :
ગુરુ ગોવિંદસિંહ