36. ઘર્ષણ વધારવા બૂટ - ચંપલનાં તળિયાં ખાંચાવાળાં હોય છે.
ઉત્તર : ખરું
37. કારણ આપો : કાર, ટ્રક અને બુલડોઝરનાં ટાયરો ખાંચાવાળાં હોય છે.
ઉત્તર : ટાયરોમાં ખાંચ વધવાથી તેનું રસ્તા સાથેનું જોડાણ વધુ મજબૂત બને છે. રસ્તા સાથેનું ઘર્ષણ વધે છે. પરિણામે, વાહન રસ્તા પર સ્લિપ થતાં નથી અને સારી રીતે ચાલે છે. આથી જ, કાર, ટ્રક અને બુલડોઝરનાં ટાયરો ખાંચાવાળાં હોય છે.
38. બ્રેક સિસ્ટમમાં બ્રેક-પેડનો ઉપયોગ શા માટે થાય છે? તે કેવી રીતે કામ કરે છે?
ઉત્તર : બ્રેક સિસ્ટમમાં બેક - પેડનો ઉપયોગ વાહનની ગતિ ધીમી કરવા માટે થાય છે. બેક - પેડ સામાન્ય સ્થિતિમાં ટાયરને સ્પર્શતા નથી પરંતુ બ્રેક લીવર દબાવતાં બેક - પેડ પૈડાંની કોરના સંપર્કમાં આવે છે જેથી ઉત્પન્ન થતાં ઘર્ષણને લીધે તે વાહનની ગતિને ધીમી કરે છે અને અંતે ગતિ કરવાનું બંધ કરે છે, વાહન સરળતાથી ઊભું રહે છે.
39. બેક – પેડ પૈડાંની કોરને અડતાં ઘર્ષણ ઓછું થાય છે.
ઉત્તર : ખોટુ
40. કબડ્ડીના ખેલાડીઓ તેમના વિરોધી ખેલાડીઓને પકડવા માટે અને પકડ વધારવા શું કરે છે?
ઉત્તર : માટીવાળા હાથ
41. કારણ આપો : કસરતબાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે.
ઉત્તર : કસરતબાજ કસરત કરતી વખતે કોઈ વસ્તુને પકડીને કસરત કરતો હોય છે. હાથ પર બરછટ પદાર્થ લગાડવાથી ખરબચડાપણું વધે છે. જેથી ઘર્ષણ વધે છે આથી વસ્તુ સાથેની પકડ મજબૂત બને છે જેથી તે લપસી પડતો નથી. આથી, કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાવે છે.
42. રમતવીરો ખીલીઓવાળા (સ્પાઇક) બૂટ કેમ પહેરે છે? સમજાવો.
ઉત્તર : રમતવીરોના બૂટ ખીલીઓવાળા હોવાથી તેના તળિયાની સપાટી ખરબચડી બને છે. ખરબચડી સપાટીના કારણે ઘર્ષણ વધુ ઉત્પન્ન થાય છે, તેથી ખેલાડી દોડતી કે રમતી વખતે લપસી જતો નથી. માટે રમતવીરો ખીલીઓવાળા (સ્પાઇક) બૂટ પહેરે છે.
43. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
ઉત્તર : જુદી - જુદી જગ્યાએ ઘર્ષણ ઘટાડવા જુદા - જુદા ઉપાયો કરવામાં આવે છે. દા.ત. કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું કરી શકાય છે. દરવાજા કે બારીના મિજાગરામાં તેલનાં થોડાં ટીપાં નાખવાથી મિજાગરામાં થતું ઘર્ષણ ઘટે છે. સાઇકલ તથા મોટર રીપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. જેથી ઘર્ષણ ઓછું થાય છે અને તેમની ક્રિયાશીલતા વધે છે. યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાવીને ઘર્ષણ ઘટાડવામાં આવે છે. જયાં તેલ કે ગ્રીસનો ઉપયોગ કરી શકાય તેમ ન હોય તેવા ભાગોમાં ઘર્ષણ ઘટાડવા હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે.
44. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ___થઈ જાય છે.
ઉત્તર : ઓછું
45. ઊંજણ એટલે શું?
ઉત્તર : ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. દા.ત. તેલ, ગ્રીસ, ગ્રેફાઈટ, હવા.
46. સાઇક્લ કે યંત્રોના ફરતા ભાગોમાં કિચૂડ-કિચૂડ અવાજ બંધ કરવા ઊંજણ કરવું જોઈએ.
ઉત્તર : ખરુ
47. સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? કેમ?
ઉત્તર : સિલાઈ મશીનમાં ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ તેલનો ઉપયોગ થાય છે. કારણકે સિલાઈ મશીનમાં તેલ નાખવાથી મશીનના ગતિશીલ ભાગોમાં તેલ પહોંચવાથી ત્યાં તેલનું સ્તર બને છે, જેનાથી સંપર્ક સપાટીમાં ઘટાડો થાય છે. પરિણામે, ઘર્ષણ ઘટે છે.
48. ગ્રીસને વાહનોના ગતિશીલ ભાગ વચ્ચે લગાવવાથી શું થશે અને તે કેવી રીતે કાર્ય કરશે?
ઉત્તર : વાહનોના ગતિશીલ ભાગ વચ્ચે ગ્રીસ લગાવવાથી ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસનું એક પાતળું સ્તર બને છે, જેથી ગતિશીલ ભાગોની સપાટીઓ એકબીજા સાથે સીધા સંપર્કમાં આવતી નથી પરિણામે તેમને ઘસારો ઓછો લાગે છે તેમજ વાહન પણ સરળતાથી ચાલે છે.
49. મશીનોમાં વધારે ઊંજણ ઉપયોગ કરતાં ઘર્ષણ શૂન્ય થાય છે કે નહીં? સમજાવો.
ઉત્તર : મશીનોમાં વધારે ઊંજણનો ઉપયોગ કરવા છતાં ઘર્ષણ શૂન્ય થતું નથી. કારણકે, કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી, તેમાં થોડી અનિયમિતતાઓ તો હંમેશાં હોય છે. આથી ઘર્ષણને કદાપિ શૂન્ય કરી શકાતું નથી.
50. ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો.
ઉત્તર : ઘણી વખત ઘર્ષણ વધારવું પણ જરૂરી હોય છે. આ માટે જુદી - જુદી પરિસ્થિતિમાં જુદી - જુદી રીતે ઘર્ષણ વધારવામાં આવે છે. દા.ત. બૂટ - ચંપલના તળિયાં ખાંચાવાળા બનાવવામાં આવે છે. જેથી જમીન સાથેની તેની પકડ મજબૂત બને. આ જ કારણથી વાહનોના પૈડાં અને જમીન વચ્ચે ઘર્ષણ વધારવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. વાહનોની એક પ્રણાલીમાં બેક - પેડનો ઉપયોગ કરીને ઘર્ષણ વધારવામાં આવે છે. કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી લગાવે છે. કસરતબાજ કસરત કરતી વખતે વસ્તુ પરની પોતાની પકડ મજબૂત બનાવવા ઘર્ષણ વધારવા હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે.
51. કારણ આપો : ઘર્ષણ પૂરેપૂરું દૂર કરી શકાતું નથી.
ઉત્તર : ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંજણને કારણે જે - તે સપાટી થોડી વધુ લીસી બને છે. પરંતુ હકીકતમાં કોઈ જ સપાટી સંપૂર્ણ લીસી હોતી નથી. તેમાં થોડી અનિયમિતતાઓ રહેલી જ હોય છે. આથી આ અનિયમિતતાઓને લીધે ઘર્ષણ કદાપી પૂરેપૂરું દૂર થતું નથી.
52. સંપૂર્ણ લીસી સપાટી બનાવી શકાય.
ઉત્તર : ખોટું
53. બૅગની નીચે રોલર લગાવવાથી શું થાય છે?
ઉત્તર : ઘર્ષણ ઘટી જાય
54. રોલિંગવાળી બૅગને ખેંચવી બહુ જ મુશ્કેલ છે.
ઉત્તર : ખોટું
55. ભારે મશીનોને લાકડાના નળાકાર ભાગો પર કેમ રાખવામાં આવે છે?
ઉત્તર : ભારે મશીનોને લાકડાના નળાકાર ભાગો પર રાખવાથી મશીનને તેના પર ગબડાવવુ સરળ બને છે. લાકડાનાં નળાકાર ભાગો રોલર તરીકેનું કાર્ય કરી લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરે છે જેનું પ્રમાણ ઓછું હોવાથી ભારે મશીનોને ખસેડવામાં સરળતા રહે છે.
56. વ્યાખ્યા આપો : લોટણ ઘર્ષણ
ઉત્તર : જયારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે. ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે.
57. સ્લાઇડિંગ ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં____ હોય છે.
ઉત્તર : વધારે
58. ____ના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધોમાં ગણવામાં આવે છે.
ઉત્તર : પૈડું
59. જુદાં જુદાં ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સ્પષ્ટ કરો.
ઉત્તર : સરકતા ઘર્ષણ કરતાં લોટણ ઘર્ષણનું મૂલ્ય ઓછું હોય છે. આથી, વસ્તુને સરકાવવા કરતાં ગબડાવવી વધુ સરળ રહે છે. જુદી જુદી વસ્તુઓમાં જુદી - જુદી રીતે લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડાય છે. દા.ત. સૂટકેશ અને ભારે સામાન સાથે પૈડાં લગાવવામાં આવે છે. મશીનોમાં સરકતાં ઘર્ષણના સ્થાને બોલ - બેરિંગનો ઉપયોગ કરી લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરવામાં આવે છે. પંખા અને સાઇકલમાં ધરી અને કેન્દ્ર વચ્ચે બૉલ - બેરિંગ વાપરવામાં આવે છે.
60. બૉલ - બેરિંગનો ઉપયોગ જણાવો.
ઉત્તર : બૉલ - બેરિંગ દ્વારા સરકતાં ઘર્ષણને લોટણ ઘર્ષણમાં બદલવામાં આવે છે. પંખા અને સાઇકલમાં ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ - બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
61. હવા, પાણી અને બીજું પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લગાડે છે.
(A) બળ
(B) ઘર્ષણ બળ
(C) ગુરુત્વાકર્ષણ બળ
(D) દબાણ
ઉત્તર : B
62. તરલ એટલે શું?
ઉત્તર : જે વહી શકે તેને તરલ કહે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે.
63. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે?
ઉત્તર : તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણ બળનો આધાર વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર છે.
64. વ્યાખ્યા આપો : ઘસડાવું
ઉત્તર : તરલો દ્વારા લગાડવામાં આવતાં ઘર્ષણબળને ઘસડવું કહે છે.
65. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણબળ એ વસ્તુની તરલની સાપેક્ષ પર આધાર રાખે છે.
ઉત્તર : ઝડપ
66. પદાર્થનો આકાર બદલવાથી પ્રવાહી કે વાયુમાં તેનું ઘર્ષણ ઘટાડી શકાય.
ઉત્તર : ખરું
67. તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો.
ઉત્તર : વાયુ અને પ્રવાહી વહી શકે છે, આથી તે તરલ છે. વાયુઓ કે પ્રવાહીમાં એટલે કે તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર તરલ દ્વારા લાગતાં ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળને ઘસડાવું કહે છે. તરલ ઘર્ષણનો આધાર ત્રણ બાબતો પર રહેલો છે.
ઉત્તર : B
62. તરલ એટલે શું?
ઉત્તર : જે વહી શકે તેને તરલ કહે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે.
63. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે?
ઉત્તર : તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણ બળનો આધાર વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર છે.
64. વ્યાખ્યા આપો : ઘસડાવું
ઉત્તર : તરલો દ્વારા લગાડવામાં આવતાં ઘર્ષણબળને ઘસડવું કહે છે.
65. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણબળ એ વસ્તુની તરલની સાપેક્ષ પર આધાર રાખે છે.
ઉત્તર : ઝડપ
66. પદાર્થનો આકાર બદલવાથી પ્રવાહી કે વાયુમાં તેનું ઘર્ષણ ઘટાડી શકાય.
ઉત્તર : ખરું
67. તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો.
ઉત્તર : વાયુ અને પ્રવાહી વહી શકે છે, આથી તે તરલ છે. વાયુઓ કે પ્રવાહીમાં એટલે કે તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર તરલ દ્વારા લાગતાં ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળને ઘસડાવું કહે છે. તરલ ઘર્ષણનો આધાર ત્રણ બાબતો પર રહેલો છે.
(1) વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર
(2) વરસ્તુના આકાર પર અને
(3) તરલના પ્રકાર પર.
તરલમાં ગતિ કરતી વખતે તેના પર લાગતાં ઘર્ષણબળને સમતોલીને તરલ પાર કરે છે જેથી તે ઊર્જા ગુમાવે છે. આ ઊર્જાનો વ્યય ઓછો કરવા એટલે કે તરલ ઘર્ષણ ઘટાડવા માટે વસ્તુને ધારારેખીય આકાર જેવો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જે તરલ ઘર્ષણ ઘટાડવાનો ઉપાય છે
0 Comments