1. જંગલો એ લીલાં ફેફસાં છે. (√કે X )
ઉત્તર:-


2. જંગલ__ અને ___ નું શુદ્ધીકરણ કરે છે.
ઉત્તર:-
હવા ( વાતાવરણ ),જળ

3. જંગલમાં મનુષ્યના અવાજથી જંગલનાં પ્રાણીઓને ખલેલ પહોંચતી નથી. (√ કે X )
ઉત્તર:-
 

4. જંગલનાં ઊંડાણવાળા વિસ્તારમાં કયાં કયાં પ્રાણીઓ રહેતાં હોય છે ?
ઉત્તર:-
રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જેવા પ્રાણીઓ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં જોવા મળે છે.

5. નીચેના પૈકી કોણ જંગલી પ્રાણી નથી? 
(A) શિયાળ
(B) હાથી
(C) ઊંટ √
(D)રીંછ

6 . કારણ આપો : જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં અજાણ્યા લોકોએ જવું ન જોઈએ. 
ઉત્તર:- જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જેવા જંગલી પ્રાણીઓ રહે છે. મનુષ્ય અંદર જતા આ પ્રાણીઓને ખલેલ પહોંચે છે તેમજ શક્ય છે કે તેઓ હુમલો પણ કરી શકે. આથી, જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં અજાણ્યા લોકોએ જવું જોઈએ નહી.

7. જંગલ __અને ___ માટે ઘર પૂરું પાડે છે.
ઉત્તર:-
વનસ્પતિઓ, પ્રાણીઓ

8.જંગલ તેમાં વસતા સજીવોને કઈ કઈ સુવિધા પૂરી પાડે છે?
ઉત્તર:-
જંગલ તેમા વસતા સજીવોને આશ્રય, ખોરાક તેમજ વસવાટ પુરો પાડે છે.

9. જંગલમાં જોવા મળતી વનસ્પતિઓ જણાવો.
ઉત્તર:-
જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જેવી કે વૃક્ષો, ક્ષૃપ, જડીબુટ્ટીઓ, ઘાસ વગેરે જોવા મળે છે. જેમાં વૃક્ષો તરીકે સાગ, સાલ, સીસમ, લીમડો, અંજીર, ખેર, વાંસ, આમળા, ખાખરો વગેરે જોવા મળે છે. આ વૃક્ષો અને જમીન પર વેલાઓ અને લતાઓ પણ જોવા મળે છે.

10.નીચેનામાંથી કયું વૃક્ષ જંગલ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં પણ સામાન્યતઃ જોવા મળે છે ?
(A) સાલ
(B) સાગ
(C) ચંદન
(D) લીમડો       

11. જંગલમાંથી મળતી કોઈ પણ પાંચ પેદાશોનાં નામ જણાવો.
ઉત્તર:-
લાકડું, ગુંદર, તેલ, મધ, કાથો

12. નીચેનામાંથી કઈ વસ્તુ વન્યપેદાશ નથી ?
(A) લાખ
(B) ગુંદર
(C) પેટ્રોલ √
(D) મધ

13. નીચેના પૈકી કઈ જંગલની પેદાશ નથી ?
(A) ગુંદર
(B) પ્લાયવુડ
(C) મીણ
(D) કેરોસીન √

14. વૃક્ષના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને શું કહે છે?
ઉત્તર:-
વૃક્ષના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ એટલે મુગટ કહે છે.

15. ઊંચાં વૃક્ષો તેનાથી નીચાં વૃક્ષો અને અન્ય વનસ્પતિને કઈ રીતે મદદરૂપ બને છે?
ઉત્તર:-
જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઇને છત્રછાયા પ્રદાન કરે છે. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર "છત્રછાયામાં" વરસાદની ઝડપને રોકે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ જ ઓછું થાય છે.

16. જંગલોમાં 'વાનસ્પતિક સમૂહો' એટલે શું ? તેનાં કેટલાં સ્તરો જોઈ શકાય છે? કયાં કયાં?
ઉત્તર:-
જંગલોમાં વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે. જેને વાનસ્પતિક સમૂહો કહે છે. તેના ત્રણ સ્તરો જોઈ શકાય છે. વિશાળ અને લાંબા વૃક્ષોનું સૌથી ઉપરનું સ્તર, ક્ષૃપ તેના પછીનું સ્તર જયારે લાંબુ ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે.

17. છોડવાઓ જંગલનું__ સ્તર બનાવે છે.
ઉત્તર:-
સૌથી નીચેનું

18. જુદા જુદા પ્રકારનાં વાનસ્પતિક સ્તરો કોને કોને રહેઠાણ પૂરાં પાડે છે?
ઉત્તર:- 
જંગલનું સૌથી ઉપરનું સ્તર વિવિધ પ્રકારના પક્ષીઓ, વાંદરાઓ વગેરેને, મધ્યમાં આવેલ સ્તર ખિસકોલી, સાપ, અજગર વગેરે જેવા પ્રાણીઓને તેમજ સૌથી નીચેનું સ્તર નાના જીવડા, દેડકા વગેરેને રહેઠાણ પુરા પાડે છે.

19. દરેક જંગલમાં એક પ્રકારનાં વૃક્ષો જ હોય છે. ( √ કે X )
ઉત્તર
: X

20. જુદાં જુદાં જંગલોમાં પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે.(√ કે X )
ઉત્તર:-


21. જંગલોમાં જોવા મળતી વિવિધતા જુદી જુદી પર્યાવરણીય પરિસ્થિતિને કારણે છે. ( √ કે X )
ઉત્તર:-


22. વનસ્પતિની છાલ પર તથા પર્ણો પર નાના જીવો જોવા મળે છે. (√ કે X)
ઉત્તર:-


23. જંગલની જમીન પર રહેલ સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હોય છે. (√ કે X )
ઉત્તર:-


24. માંસાહારી પ્રાણીઓ ખોરાક માટે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. (√ કે X ) 
ઉત્તર:-

25. આહાર - શૃંખલા એટલે શું ? ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર:-
પ્રાણીઓ ખોરાક માટે એકબીજા પર અવલંબિત હોય છે. આ અવલંબનને આહાર - શૃંખલા કહે છે. તૃણાહારી પ્રાણીઓ ખોરાક માત્ર વનસ્પતિ પર આધાર રાખે છે. આ તૃણાહારી પ્રાણીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચકક્ષાના માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. ઉદા. તરીકે, 
ઘાસને કીટક ખાય > કીટકને દેડકો ખાય > દેડકાને સાપ ખાય >સાપને સમડી ખાય 
સૂર્ય> ઘાસ > કીટક > દેડકો> સાપ > સમડી

26. જંગલમાં તળિયે સડતાં પર્ણોમાં કયા સજીવો જોવા મળે છે ?
ઉત્તર:- 
જંગલમાં તળિયે સડતા પર્ણોમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો અને અનેક પ્રકારના નાના જીવજંતુઓ જેવા કે કીડીઓ , ઢાલી જીવડાઓ વગેરે જોવા મળે છે.

27. સેન્દ્રિય પદાર્થ એટલે શું ? તે કેવી રીતે બને છે ?
ઉત્તર:- 
ભૂમિમાં વસતા સૂક્ષ્મજીવો અને અનેક નાના જીવજંતુઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા કાળા રંગના સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે.

28. ફૂગ પોતાના જીવન માટે કોના પર નભે છે ? 
ઉત્તર:- ફુગ પોતાના જીવન માટે વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે.

29. વિઘટકો શું છે ? કોઈ પણ બેનાં નામ આપો . તેઓનો જંગલોમાં શું ફાળો છે તે જણાવો.
ઉત્તર:-
જમીનમાં રહેલા બૅક્ટરીયા, ફૂગ તેમજ અન્ય સૂક્ષ્મજીવો જેઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે, તેને વિધટકો કહે છે. આ સેન્દ્રિય પદાર્થો પોષકતત્વો ધરાવે છે. આ પોષકતત્વો વનસ્પતિ દ્વારા ફરીથી શોષાય છે. 

30. કયો સૂક્ષ્મ જીવ વિઘટક તરીકે કાર્ય કરે છે ?
(A)લીલ
(B) ફૂગ
(C) જીવાણું
(D)B અને C     

31.સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે ___.
(A) રેતી
(B) ફૂગ ( મશરૂમ ) √
(C) કળણ
(D) લાકડું