34. નરસિંહ મહેતાનો પરિચય આપો.
ઉત્તર : નરસિંહ મહેતાનો જન્મ ઈ.સ. 1412માં ભાવનગરના તળાજા ગામે થયો હતો. પછી તેઓ જૂનાગઢ આવીને વસ્યા હતા. ગુજરાતની પ્રજાને ભક્તિરસથી તરબોળ કરવામાં આ મહાન કવિનો મોટો ફાળો છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે. તેમનું ‘વૈષ્ણવજન તો તેને કહીએ.... જન ખૂબ લોકપ્રિય હતું. તેમના પદો પ્રભાતિયાં તરીકે પ્રચલિત હતાં. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેઓ છૂતાછૂત અને જ્ઞાતિભેદના વિરોધી હતા. તેથી દરેક કોમના લોકોના ઘરે ભજન કરવા જતા. તેમના મતે હિરનું ભજન કરનાર હિરનો જન હતો. તેઓ કહેતા કે, ‘પક્ષાપક્ષીમાં નહિ પરમેશ્વર, સમદષ્ટિને સર્વ સમાન.' કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં તેમણે કહ્યું છે કે “શ્રીકૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે.” નરસિંહ મહેતાનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે.

35. રાજપૂત રાજકુમારી મીરાંબાઈ ............. પુત્ર હતા.
ઉત્તર : 
મેડતા રાજવીના

36. મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?
ઉત્તર :
 મીરાબાઈનાં લગ્ન મેવાડના રાજપરિવારમાં થયાં હતાં.

37. મીરાંબાઈ શ્રીકૃષ્ણને કોના રૂપમાં પૂજતાં હતાં?
ઉત્તર :
 ગિરધરગોપાલ

38. એ ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં.

ઉત્તર : 
મીરાંબાઈ 

39. મીરાંબાઈનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર :
 રાજપૂત રાજકુમારી મીરાંબાઈ મેડતાના રાજાનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન મેવાડના રાજપરિવારમાં થયાં હતાં. તેઓ નાનપણથી જ કૃષ્ણભક્ત હતાં. શ્રીકૃષ્ણને તેઓ ગિરધરૌપાલના રૂપમાં પૂજતા હતાં. મીરાંબાઈ એક ભક્ત કવિયત્રી હતાં. તેમણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદોની રચના કરી હતી. તેમનાં પદો પણ નરસિંહ મહેતા અને કબીરનાં પદો જેટલાં જ લોકપ્રિય હતાં.

40. સૂરદાસ ........... શિષ્ય હતા.
ઉત્તર 
: વલ્લભાચાર્યના

41. કયા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?
ઉત્તર : 
સૂરદાસે

42. મને ઓળખો : હું મહારાષ્ટ્રમાં ભક્તિ-આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
ઉત્તર : પંઢરપુરનું વિઠોબા મંદિર

43. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનાં..............કર્યાં હતાં.
ઉત્તર :
 
 શ્રીગણેશ જ્ઞાનેશ્વરે

44. જ્ઞાનેશ્વરે ભગવદ્ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે?
ઉત્તર : 
જ્ઞાનેશ્વરી

45. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે?
ઉત્તર : 
તુકારામ

46. મને ઓળખો : મારા ગુરુ સમર્થ રામદાસ હતા.
ઉત્તર : 
શિવાજી મહારાજ

47. .............આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો.
ઉત્તર : 
ગુરુ રામદાસે

48. ભક્તિમાર્ગના સંતો-ચિંતકો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?
ઉત્તર : 
ગુજરાત - સૂરદાસ અને કબીર

49. ભક્તિ-આંદોલનના સંતો અને તેમની કૃતિ(ગ્રંથ)ની કઈ જો ખોટી છે?
ઉત્તર :
 વિનયપત્રિકા – સુરદાસ

50. મહારાષ્ટ્રમાં ભક્તિમાર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી?
ઉત્તર : 
જયદેવ

51. મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : 
મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ, ગુરુ રામદાસ વગેરે સંતો થઈ ગયા. સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ-આંદોલનની શરૂઆત કરી. તેમણે 15 વર્ષની વયે ભગવદ્ગીતા ઉપરની ટીકા ‘જ્ઞાનેશ્વરી' લખી હતી. તેઓ મહારાષ્ટ્રના એક મહાન સંત હતા. સંત નામદેવ યુવાનીમાં અધર્મના માર્ગે હતા. પરંતુ સત્યનું જ્ઞાન થતાં તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહાન સંત બન્યા. એકનાથ ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કરતા. તેઓ સૌને સમાન ગણતા એક મહાન સંત હતા. તુકારામ મહારાષ્ટ્રના સંતકવિ હતા. તેમની ‘અભંગો’ નામની રચના ખૂબ જાણીતી છે. ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો. લોકોને ઉપદેશ આપવા ‘દાસબોધ’ નામના ગ્રંથની તેમણે રચના કરી હતી.

52. પ્રાચીનકાળથી ભારત વિભિન્ન............મિલનસ્થાન રહ્યું છે.
ઉત્તર : 
સંસ્કૃતિનું

53. સૂફી શબ્દ ............. ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે.
ઉત્તર : 
ઇસ્લામના

54. ઇસ્લામના ધાર્મિક વિચારોનો મુખ્ય મત કયો છે?
ઉત્તર :
 ઇસ્લામના ધાર્મિક વિચારોનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે.

55. ભારતમાં સફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી?
ઉત્તર : 
ચાર

56. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓનાં નામ આપો.
ઉત્તર :
 ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ છે : (1) ચિશ્તી (2) સુહરાવર્દી (3) કાદરી (4) નખ્શબંદી.

57. સુહરાવી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર :
 બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી.

58. મને ઓળખો : અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો.
ઉત્તર :
 મોઇનુદ્દીન ચિશ્તી

59. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફીસંત કોણ હતા?
ઉત્તર :
 મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફીસંત હતા.

60. મુખ્ય સૂફીસંતોના નામ આપો.
ઉત્તર :
 શિયાબુદીન સુહરાવર્દી, મોઇનુદ્દીન ચિશ્તી, કુતુબુદીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન-ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સરહિંદી અને શેખ બુરહાનુદીન વગેરે મુખ્ય સૂફી સંતો હતા.

61. અજમેર : મોઇનુદ્દીન ચિશ્તી :: દક્ષિણ ભારત : ................
ઉત્તર : 
શેખ બુરહાનુદીન

62. ટૂંક નોંધ લખો : સૂફી-આંદોલન
ઉત્તર : 
મધ્યકાળમાં થયેલ સૂફી-આંદોલન એ ભારતના ભક્તિ આંદોલનોમાનું એક હતું. સૂફી-આંદોલન ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે હિંદુ-મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમસંબંધ સ્થાપવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી : (1) ચિશ્તી (2) સુહરાવર્દી (3) કાદરી (4) નખ્શબંદી, સૂફી-આંદોલનોમાં ચિશ્તી અને સુહરાવદ પરંપરા ખૂબ લોકપ્રિય બની હતી. સુહરાવર્દી પરંપરાની સ્થાપના બગદાદના શિયાબુદીન સુહરાવર્દીએ કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ મૃત્યુ બાદ સુફીસંત તરીકે ખ્યાતિ પામ્યા. આ ઉપરાંત કુતુબુદીન ખ્તિયારે, બાબા ફરીદુદીન-ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ અને શેખ અહમદ સરહિંદી વગેરે મુખ્ય સંતો હતા. દક્ષિણ ભારતમાં શૈખ બુરહાનુદીન લોકપ્રિય ચિશ્તી સંત હતા.

63. ભક્તિ અને સૂફી-આંદોલનો માટે સાચું શું છે?
ઉત્તર :

(1) સામાન્ય માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યો.
(2) સમાજમાં ધર્મ-ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા.
(3) હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય થયો.

64. સૂફીઓએ અપનાવેલી હિંદુઓની ધાર્મિક ક્રિયાઓમાં કઈ ક્રિયાનો સમાવેશ થતો નથી?
ઉત્તર : 
અગ્નિસંસ્કાર કરવા

65. ભક્તિ-આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું?
ઉત્તર : 
ભક્તિ અને સૂફી-આંદોલનના કારણે સમાજમાં પ્રવર્તતાં બાહ્ય આડંબરો, ઊંચનીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજોનું પ્રમાણ ઓછું થયું. સામાન્ય લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થયા. ઈશ્વર બધાંનો છે અને આપણે ભક્તિ દ્વારા તેને મેળવી શકીશું તેવી શ્રદ્ધા લોકોમાં પ્રસરી. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાના સંદેશાઓ આપ્યા. ભક્તિ આંદોલનના સંતો અને વિચારકોએ લોકભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી, જે લોકોને સમજવામાં સરળ બન્યું હતું. આ કારણોસર ભક્તિ-આંદોલન લોકોમાં લોકપ્રિય બન્યું હતું.

66. યોગ્ય જોડકાં જોડો :

1.

વિભાગ – A

વિભાગ – B

(1) ‘બીજક કવિતાસંગ્રહ

(A) સુરદાસ

(2) શીખ ધર્મના સ્થાપાક

(B) તુકારામ

(3) અભંગોના રચિયતા

(C) સંત કબીર

(4) વલ્લભચાર્ય્ના શિષ્ય

(D) ગુરુ નાનક

 

(E) એકનાથ


જવાબ

(1) – C

(2) – D

(3) – B

(4) - A

 
2.

વિભાગ – A

વિભાગ – B

(1) પંઢરપુર

(A) આદિકવિ 

(2) મીરાબાઈ

(B) વિઠોબા મંદિર

(3) તુલસીદાસ

(C) ભક્ત કવિયત્રી

(4) નરસિહ મહેતા

(D) રામચરિતમાનસ


જવાબ

(1) - B

(2) - C

(3) - D

(4) - A