૧. આપણને જીવવા માટે પાણીની સાથે ખોરાક પણ જરૂરી છે. (✓કે X)
ઉત્તર :


૨. દિવસ દરમિયાન આપણે શું શું ખાઈએ છીએ તે લખો.

સવારે નાસ્તામાં

ભાખરી,બટાકાપૌંઆ ,થેપલાં, ફળો

બપોરે ભોજનમાં

દાળભાત, રોટલી, શાક, કઠોળ, સલાડ, છાશ

રાત્રે હળવું ભોજન

ખીચડી, કઢી, ઢોકળાં,હાંડવો


૩.આપણે સવારે, બપોરે અને સાંજે જે ખાઈએ છીએ તે આપણો.............. છે
(A) પ્રસાદ
(B) ખોરાક
(C) વ્યાયામ
(D) નાસ્તો
ઉત્તર :
B

૪.તમે ગઈકાલે સવારે, બપોરે અને રાત્રે ખોરાકમાં શું શું લીધું હતું ?
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

સવારે

 

બપોરે

 

રાત્રે

 


૫. ખાધા વિના ચાલે નહીં.(✓કે X)
ઉતર :


૬. કારણ આપો : ખાધા વિના ચાલે નહીં.
ઉત્તર : કારણ કે ખાધા વિના શરીરમાં અશક્તિ આવી જાય,ચક્કર આવે. કોઈ કામ સારી રીતે થઈ શકે નહિ. વળી, જીવવા માટે ખોરાક જરૂરી છે.

૭. ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે
ઉત્તર :
જયારે પેટ ખાલી હોય તેવું લાગે ત્યારે ખબર પડે કે ભૂખ લાગી છે. ભૂખ લાગે ત્યારે કામ કરવાનું મન ન થાય. અશક્તિ લાગે અને ખાવાની ઈચ્છા થાય.

૮. કોઈ દિવસ તમારા ઘરે જમવાનું બન્યું ન હોય તેવું ક્યારેય થયું છે ?ત્યારે તમને કેવો અનુભવ થયો હતો ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૯. શું વર્ગના બધા બાળકોએ ગઈકાલે એકસરખો ખોરાક ખાધો હતો ? કેમ?
ઉત્તર :
ના, વર્ગના બધા બાળકોએ જુદો જુદો ખોરાક ખાધો હતો. કેમ કે બધા બાળકોની પસંદ જુદી જુદી હોય છે અને દરેકના ઘરમાં જુદો જુદો ખોરાક બને છે.

૧૦. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૧૧. ભૂખ લાગે તો દેખાતું અને સંભળાતું બંધ થઈ જાય છે. (✓ કે X)
ઉત્તર :
X

૧૨. જેમ સ્કૂટરને ચાલવા માટે પેટ્રોલની જરૂર છે, તેમ માણસ ને...........ની જરૂર છે.
ઉત્તર : ખોરાક 

૧૩.ખાવાનું ન મળે તો શું થાય ?
(A) ગુસ્સો આવે.
(B) રડવું આવે.
(C) ઉદાસ થઈ જવાય.
(D) આપેલ તમામ.
ઉત્તર :
D

૧૪. તમને કેવા સ્વાદની રસોઈ પસંદ છે ?
ઉત્તર :
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો)

૧૫.એવી કઈ વસ્તુઓ છે કે જે તમે ખાઈ શકો છો પણ તમારા ઘરના ઘરડા સભ્યો ખાઈ શકતા નથી ?
(A) મકાઈડોડા
(B) રોટલી
(C) શીરો
(D) દૂધપાક
ઉત્તર :
A

૧૬. શું બધાં ઘરડાં લોકો મકાઈડોડા અને કઠણ ચણા ખાઈ શકે? કેમ ?
ઉત્તર :
ના,બધાં ઘરડાં લોકો મકાઈડોડો અને કઠણ ચણા ખાઈ શકે નહિ. કેમકે ,ઘરડાં લોકો દાંત નબળા હોય છે.

૧૭. અમુક કડક નાસ્તા ઘરડાં લોકો ખાઈ શક્તા નથી,કેમ કે.....
(A) તેમને તે ભાવતા નથી.
(B) તેમના દાંત નબળા હોય છે.
(C) નાસ્તા માત્ર બાળકો માટે જ હોય છે,
(D) નાસ્તા બહુ મોંઘા હોય છે.
ઉત્તર :
B

૧૮. ચાર મહિનાનો સની તેની માતાના દૂધ પર જ રહે છે , કારણ આપો.
ઉત્તર :
કારણ કે સની માત્ર ચાર મહિનાનો હોવાથી તેને દાંત નથી. તે માત્ર દૂધ જ પી શકે છે. દૂધ તેના માટે અત્યારે પૌષ્ટિક ખોરાક છે.

૧૯. બાળકો, યુવાનો અને વૃદ્ધો શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે ?કોષ્ટકમાં માહિતી ભરો : 

 

શું ખાઈ શકે ?

શું ન ખાઇ શકે ?

બાળક (નાનું)

દૂધ, દાળ, સૂપ

મકાઈ, ભાખરી, રોટલી

યુવાન

બધી જ વસ્તુઓ

વૃદ્ધ

દાળમાં પલાયેલી રોટલી, સૂપ, પ્રવાહી ખોરાક

ભાખરી, કડક પૂરી, પાપડ


૨૦. આપણે હંમેશાં કેવો ખોરાક ખાવો જોઈએ ?
(A) બજારનો
(B) ખુલ્લો
(C) તાજો
(D) ઠંડો
ઉત્તર : C

૨૧. આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કેવો ખોરાક ખાવો જોઈએ ?
ઉત્તર :
આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આપણે હંમેશાં તાજો ખોરાક ખાવો જોઈએ. ફળો, શાકભાજી હંમેશા ધોઈને વાપરવાં જોઈએ, રાંધેલો યોગ્ય પ્રમાણમાં ખોરાક ખાવો જોઈએ અને સમતોલ તથા પૌષ્ટિક આહાર ખાવો જોઈએ.

૨૨. ખુલ્લો ખોરાક ખાવાથી શું થાય ?
ઉત્તર :
ખુલ્લો ખોરાક ખાવાથી બીમાર પડી જવાય, કેમ કે તેની પર માખી, મચ્છર જેવા જીવજંતુઓ બેઠેલા હોય છે. આ જીવજંતુઓ તેમની સાથે ઘણી બીમારીના જીવાણુઓ ખોરાક પર છોડી દે છે, જેથી બીમારી ફેલાય છે.

૨૩. શાકભાજી અને ફળોને ધોઈને વાપરવા જોઈએ.(✓ કે X)
ઉત્તર : 


૨૪. શરીરને નુકસાન કરે તેવા ખોરાક કયા કયા છે ?
(A) બજારું પાણીપૂરી, ભેળ, રંગડાપેટીસ
(B) બજારું ખમણ, દાબેલી
(C) બજારું ચટણીપૂરી, સમોસા, કચોરી
(D) આપેલ તમામ
ઉત્તર :
D

૨૫. આપણા શરીરને શક્તિ અને ગરમી આપતો સમતોલ ખોરાક ખાવો જોઈએ.(✓ કે X)
ઉત્તર :