૬૧. ફૂલબજારમાં કયાં કયાં ફૂલો વેચાય છે ?
ઉત્તર :
 ફૂલબજારમાં હજારીગોટો, સેવંતી, લીલી, ગુલાબ, પારસ, ડમરો, ચમેલી, મોગરો, સૂર્યમૂખી વગેરે ફૂલો વેચાય છે.

૬૨. ફૂલબજારમાં ફૂલો ક્યાંથી આવતાં હશે ?
(A) ફૂલોની વાડીમાંથી
(B) બગીચામાંથી
(C) અન્ય દેશ કે રાજ્યમાંથી
(D) આપેલ તમામ
ઉત્તર :
 D

૬૩. ફૂલો વેચનાર ફૂલો કયા રૂપમાં વેચે છે ?
ઉત્તર : 
ફૂલો વેચનાર છૂતાં ફૂલો ઉપરાંત ગજરા, વેણી, હાર, તોરણ, ગુલદસ્તો, છડી વગેરે રૂપે વૈચે છે.

૬૪. ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોની પાસેથી બનાવતાં શીખ્યા હશે ?
ઉત્તર :
 ફૂલો વેચનાર પુષ્પગુચ્છ છે ફૂલોની જાળી બનાવતાં તેમના વડીલો પાસેથી શીખ્યો હશે.

૬૫. ગુલાબ અને મોગરામાંથી હાર-ગજરા બનતા નથી. (√ કે ×)
ઉત્તર :
 ×

૬૬. ગુલાબ કરતાં હજારીગોટાનો હાર ઓછી કિંમતનો હોય છે. (√ કે ×)
ઉત્તર :
 √

૬૭. ફૂલ વેચનાર તેના કુટુંબના બીજા કોઈ સભ્યો આવું કામ કરે તેવી ઇચ્છા ધરાવે છે ? કેમ ?
ઉત્તર :
 ફૂલ વેચનાર ઈચ્છે છે કે તેના કુટુંબના અન્ય સભ્યો પણ આ વ્યવસાયમાં જોડાય; કેમ કે આ કામમાં આર્થિક ફાયદો ઘણો છે.

૬૮. ફૂલોની તથા તેમાંથી બનાવેલ વસ્તુઓની કિંમત શાને આધારે નક્કી થાય છે ?
ઉત્તર :
 ઋતુ અને પ્રસંગ તથા બનાવટને આધારે ફૂલો તથા તેમાંથી બનાવેલ વસ્તુઓની કિંમત નક્કી થાય છે.

૬૯. ઘાસ ખેંચતાં રતનના હાથે શું થયું ?
ઉત્તર : 
ધાસ ખેંચતાં રતનના નાજુક હાથ લાલ થઈ ગયા તથા ઘાસ સાથે કેટલાંક મૂળ પણ ખેંચાઈ આવ્યાં.

૭o. દરેક વનસ્પતિને મૂળ હોય છે. (√ કે ×)
ઉત્તર : 


૭૧. મૂળ એ વનસ્પતિનો જમીનની ____ ઊગતો ભાગ છે.
ઉત્તર : 
અંદર

૭૨. બધી જ વનસ્પતિનાં મૂળ એકસરખો હોય છે. (√ કે ×)
ઉત્તર : 
×

૭૩. __ ના કારણે વનસ્પતિ જમીન સાથે જકડાયેલી રહે છે.
ઉત્તર : 
મૂળ

૭૪. કયાં વૃક્ષોનાં મૂળ ખૂબ જ ઊંડાં હોય છે ?
ઉત્તર :
 લીમડો, વડ, પીપળો, આસોપાલવ, આંબો વગેરે વૃક્ષોનાં મૂળ ખૂબ જ ઊંડાં હોય છે.

૭૫. ગાજર એક મૂળ છે. (√ કે ×)
ઉત્તર :
 √

૭૬. નીચેનામાંથી ક્યું મૂળ છે , જેનો આપણે ખાવામાં ઉપયોગ કરી છીએ ?
(A) મૂળા
(B) શક્કરિયાં
(C) બટાકા
(D) કોથમીર
ઉત્તર :
 A

૭૭. ખોરાક તરીકે ઉપયોગી મૂળનાં નામ આપો.
ઉત્તર :
 મૂળા, ગાજર, બીટ વગેરે ખોરાક તરીકે ઉપયોગી મૂળ છે.

૭૮. વનસ્પતિના સારા વિકાસ માટે તેને ___ આપવું જરૂરી છે.
ઉત્તર :
 પાણી

૭૯. શાકભાજીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. (√ કે ×)
ઉત્તર :
 √

૮૦. મોટાં વૃક્ષોને પાણી ક્યાંથી મળતું હશે ?
ઉત્તર :
 મોટાં વૃક્ષોનાં મૂળ ઊંડે સુધી જમીનમાં ફેલાયેલાં હોય છે, તેથી તે જમીનમાંથી તથા વરસાદથી મળતા પાણીનો ઉપયોગ કરી વિકાસ પામે છે.

૮૧. કયા પ્રકારનાં વૃક્ષોને નિયમિત પાણી આપવાની જરૂર પડે છે ?
ઉત્તર :
 ફૂલના છોડ, શાકભાજીના છોડ અને વેલાને નિયમિત પાણી આપવાની જરૂર પડે છે.

૮૨. વધારે પવન હોય તો પણ વૃક્ષ પડતાં નથી-સમજવો.
ઉત્તર :
 વૃક્ષોનાં મૂળ જમીનની અંદર ઊંડે સુધી રહેલાં હોય છે. જે જમીન સાથે મજબુતાઈથી જકડાયેલાં હોવાથી વધારે પવન હોવા છતાં વૃક્ષ પડતાં નથી.

૮૩. ઊગતાં નાના છોડને પાણી મળતાં તે ફરીથી તાજો કેમ લાગે છે ?
ઉત્તર : 
ઊગતા નાના છોડને પાણી મળતાં તેનાં મૂળ આ પાણીનું શોષણ કરી અન્ય ભાગ સુધી પહોંચાડે છે. આ પાણી છોડના અન્ય ભાગને મળતાં છોડ ફરીથી તાજો લાગે છે.

૮૪ . શાકભાજીના છોડને નિયમિત પાણી આપવું પડે છે. (√ કે ×)
ઉત્તર : 


૮૫. છોડને કેમ નિયમિત પાણી આપવું પડે છે ?
ઉત્તર :
 છોડનાં મૂળ નાનાં હોય છે અને જમીનમાં પાણી ઊંડે હોય છે. છોડના વિકાસ માટે પાણી જરૂરી છે. નાનાં મૂળ જમીનની ઊંડેથી પાણી ખેંચી શકતાં નથી. માટે છોડને નિયમિત પાણી આપવું પડે છે.

૮૬. મોટા વૃક્ષને પાણી આપવામાં નથી આવતું, તો તે પાણી ક્યાંથી મેળવતું હશે ?
ઉત્તર :
 મોટા વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા હોય છે. જે જમીનમાં રહેલા પાણીને શોષે છે. આથી આવા વૃક્ષને પાણી આપવામાં ન આવે તો પણ તેઓ પાણી મૅળવી લે છે.

૮૭. નીચેનામાંથી કોને નિયમિત પાણી આપવું પડશે ? 
(A) રીંગણી
(B) તુલસી
(C) બારમાસી
(D) આપેલ તમામ
ઉત્તર : 
D

૮૮. નીચેનામાંથી કોને નિયમિત પાણી ન આપો તો પણ ચાલશે ?
(A) ભીંડો
(B) ગુલાબ
(C) લીમડો
(D) કુદીનો
ઉત્તર : 
C

૮૯. મકાનની દીવાલ કે બખોલમાં ઊગતાં વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે ?
ઉત્તર :
 મકાનની દીવાલ કે બખોલમાં ઊગી નીકળતાં વૃક્ષો ભીંતોમાંમાં રહેલ ભેજ શોષીને પાણી મેળવે છે.

૯૦. મકાનની દીવાલમાં ઊગી નીકળતાં વૃક્ષો મકાનને સહારો આપે છે. (√ કે ×)
ઉત્તર :
 ×

૯૧. દીવાલની તિરાડમાં કોઈ છોડ ઊગે તો શું શું થઈ શકે ?
ઉત્તર : 
દીવાલની તિરાડમાં કોઈ છોડ ઊગે તો તેનો વિકાસ જમીનમાં ઊગતા છોડ જેટલો ન હોય, પરંતુ જો આ છોડનો વિકાસ સારો થાય તો દીવાલની તિરાડ મોટી થાય છે અને ક્યારેક દીવાલ પડી પણ જાય છે.

૯૨. દીવાલની તિરાડમાં છોડ કેવી રીતે ઊગતા હશે ?
ઉત્તર : પક્ષીઓની ચરકમાં ધણી વખત કોઈ વનસ્પતિનાં બીજ હોય છે. આ ચરક દીવાલની તિરાડમાં ભરાઈ જાય છે. આ બીજને યોગ્ય હવા , પાણી મળતાં તેમાંથી છોડ ઊગે છે.

૯૩. વૃક્ષો પડી જવાનાં કારણો જણાવો.
ઉત્તર :
 મોટાં વૃક્ષોની આસપાસની જમીન નબળી પડી હોય કે કોઈએ ખોદી કાઢી હોય તો તેનાં મૂળ નબળાં પડે છે અને વાવાઝોડું આવતાં તે પડી જાય છે. પૂર વખતે જો જમીનનું વધુ પડતું ધોવાણ થઈ ગયું હોય ત્યારે પણ વૃક્ષો પડી જાય છે. જો વૃક્ષમાં ઊધઈ ખૂબ મોટા પ્રમાણમાં લાગી જાય તો પણ તે વૃક્ષ પડી જાય.

૯૪. વૃક્ષ પર રહેતાં પ્રાણીઓનાં નામ લખો .
____, ____, ____.
ઉત્તર : 
વાંદરા, ખિસકોલી, કાચિંડા.

૯૫. વડની ડાળીઓમાંથી લટકતા મૂળને ____ કહે છે.
ઉત્તર : 
વડવાઈ

૯૬. કબીરવડ _____ જિલ્લામાં આવેલો છે.
ઉત્તર : 
ભરૂચ

૯૭. વડને બીજા વૃક્ષોની જેમ મૂળ હોતાં નથી. (√ કે ×)
ઉત્તર :
 ×

૯૮. વડની વડવાઈઓ તેને કેવી રીતે ઉપયોગી છે ?
ઉત્તર : વડની વડવાઈઓ મોટી થઈને જમીનમાં ખૂંપી જાય છે, જે તેને આધાર આપે છે.

૯૯. મૂળ કેવી રીતે જમીનનું ધોવાણ થતું અટકાવે છે ?
ઉત્તર : મૂળનાં પેટામૂળ જમીનમાં દૂર દૂર સુધી ફેલાય છે, તેથી તે જમીનનું ધોવાણ થતું અટકાવે છે.

૧oo. મૂળ અને પ્રકાંડ કઈ દિશામાં ઊગે છે ?
ઉત્તર :
 મૂળ જમીનની અંદર તરફ અને પ્રકાંડ જમીનની ઉપર તરફ ઊગે છે.

૧o૧. મૂળનો રંગ ____ જેવો હોય છે.
ઉત્તર : માટી

૧o૨. વૃક્ષની જેમ માનવશરીરના કયા ભાગો સતત વધતા દેખાય છે ?
ઉત્તર :
 વૃક્ષની જેમ માનવશરીરના નખ અને વાળ સતત વધતા દેખાય છે.

૧o૩. વાળ અને નખને સમયાંતરે કાપવા જોઈએ. (√ કે ×)
ઉત્તર :
 √

૧o૪. ઊગે તેવી વસ્તુઓની યાદી બનાવો.
ઉત્તર :
 વિવિધ વનસ્પતિઓનાં બીજ ઊગે છે. જેમ કે, અનાજ, કઠોળ, શાકભાજી, ફળ-ફૂલોનાં બીજ ઊગે છે. તુલસી, અરડુસી વગેરે ઔષધીય વનસ્પતિઓનાં બીજ પણ ઊગે છે.