પ્રશ્ન : ૪ કાવ્યપંકિતઓનો ભાવાર્થ લખો :
(૧) "જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે.
જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે...
જ. 
આ પંક્તિમાં નાગણ કૃષ્ણને કહે છે, 'હે બાળક, તું અહીંથી જતો રહે. અમારા સ્વામી (કાલિય નાગ) જાગશે. જાગશે અને તારા પર ગુસ્સે થશે, અને તને મારશે તો તું બાળક હોવાથી મને બાળહત્યાનું પાપ લાગશે.''

(૨) "મારી માતાએ બે જનમિયા, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો"...
જ.
 કૃષ્ણ નાગણને કહે છે, "હે નાગણ, મારી માતાએ બે બાળકોને જન્મ આપ્યો છે.તેમાં હું નટવર (કૃષ્ણનું એક નામ) નાનડો(નાનો) છું. તું તારા નાગને જગાડ, મારું નામ કૃષ્ણ કાનડો(કાનુડો) છે."

(3) શું કરું નાગણ હાર તારો? શું કરું તારો દોરિયો?
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરિયો?
જ. 
જ્યારે કૃષ્ણ પાછા જવા માટે તૈયાર નથી ત્યારે નાગણ તેને સવા લાખ રૂપિયાનો હાર અને દોરિયો આપવાની લાલચ આપે છે. ત્યારે કૃષ્ણ 'કહે છે, કે હે નાગણ, તારા સવા લાખના હાર અને દોરિયાનું હું શું કરું? એટલે કે મારે તેની જરૂર નથી.અને મારા માટે તારે ઘરમાં શા માટે ચોરી કરવી પડે?

(૪) બેઉ કર જોડી વીનવે : "સ્વામી ! મૂકો અમારા કંથને;
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને "...
જ. 
બે હાથ જોડીને નાગણો કૃષ્ણને વિનંતી કરે છે કે, "હે કૃષ્ણ ! અમારા કંથ (પતિ)ને તમે છોડી દો. અમે અપરાધી (ગુનેગાર) છીએ. અમે કાંઈ સમજ્યા નહીં અને તમને ,ભગવાનને ઓળખી ન શક્યાં!"

પ્રશ્ન : પ કાવ્યમાં આવતા સમાન પ્રાસવાળા શબ્દોને જોડોઃ

[અ]

[બ]

(૧) જાગશે

(ક) વળાવિયો

(ર) કોડામણો

(ખ) લાગશે

(૩) નાનડો

(ગ) અળખામણો

(૪) ચોરિયો

(ઘ) દોરિયો

(પ) નાથિયો

(ચ) કાનડો

(૬) કાપશે

(છ) હાથિયો

(૭) આવિયો

(જ) આપશે


જવાબ

(૧) ખ

(ર) ગ

(૩) ચ

(૪) ઘ

(પ) છ

(૬) જ

(૭) ક


પ્રશ્ર : ૬ આપેલા શબ્દો સાથે બંધબેસતું વાક્ય √ કરે :
(૧) ધરો :
(√)કૃષ્ણએ પાણીમાં ઊંડા ખાડામાં ડૂબકી લગાવી.
() ગોવાળિયાએ ધાસના ઢગલા પર ભૂસકો માર્યો.
() કૃષ્ણ ગોવાળિયાઓની એક પણ વાત ન માની.

(ર) ગણગણાટ :
(√)મિત્રો અંદરોઅંદર ધીમેથી વાતચીત કરતા હતા.
() કૃષ્ણે નાગ સાથે ગુસ્સે થઈને વાત કરી.
()નાગણીઓએ કૃષ્ણને વિનંતી કરી.

(૩) ચિંતાતુર :
(√) ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે.
() બળભદ્રને ભરોસો હતો કે કૃષ્ણ દડો લઈ આવશે.
() કૃષ્ણને પાછા આવતાં જોવા ગોવાળો આતુર હતા.

(૪) ઝંપલાવવું:
() દડો નદીમાં ગયો એટલે ગોવાળો રમતા રમતા જંપી ગયા.
() કૃષ્ણ અને ગોવાળો ઘરનો ઝાંપો ખોલી માખણ ચોરી લેતા.
(√) કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો.

(પ) જીવનું જોખમ :
() ગેડીદડામાં હારી જવાનું જોખમ તો હોય જ છે.
(√) ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે.
() કૃષ્ણનું જીવન સાહસથી ભરેલું હતું.

(૬) ભાથું :
(√) એક ગોવાળ આજે ખાવાનું નથી લાગ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે.
() સૌ ગોવાળો બોર વીણતા અને સરખા ભાગે ખાતા
() નાગનું માથું નીચે અને ઉપર કૃષ્ણ.

પ્રશ્ન : ૭ નીચેનાં વાક્યોમાં શબ્દો આડા-અવળા થઈ ગયા છે. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યો ફરીથી લખો:
(૧) હતું સરસ ગોકુળ ગામ એક મજાનું
જ. 
ગોકુળ એક સરસ મજાનું ગામ હતું.

(ર) છોકરાઓ સાંજ સુધી ગામના દરરોજ જંગલમાં જાય સવારથી ગાયો ચરાવવા.
જ. 
ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય.

(૩) પોતાનું ધાર્યું કોઈની માને, કાયમ જ કરે કૃષ્ણ વાત ન.
જ. 
કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે, કોઈની વાત ન માને.

(૪) નાગનું નદીમાં કાલિય નાગ હતું રહેતા નામ.
જ. 
નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું.

(પ) કૃષ્ણ માખણ બધાં ખાવા મળે માટે ચોરતા બાળકોનો હતા એ.
જ. 
બધાં બાળકોને માખણ ખાવા મળે માટે કૃષ્ણ માખણ ચોરતા હતા.

(૬) વિશે યશોદાને ગોપીઓ કરતી હતી દરરોજ કૃષ્ણ ફરિયાદ.
જ. 
યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી.

(૭) લાવવા યમુના કૃષ્ણ પાછો માટે નદીમાં ગયો દડો.
જ. 
દડો લાવવા માટે કૃષ્ણ પાછો યમુના નદીમાં ગયો.

(૮) કૃષ્ણ પડ્યા ગયેલો નદીમાં દડો એ પણ વખતે તો ડૂબી.
જ. 
કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો.

પ્રશ્ન : ૮ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્યો પૂરાં કરે :
(૧) યશોદામાતા કહે, "સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને__ "
જ. 
સમજાવીશ

(ર) બલભદ્રે ઘણી રાહ જોઈ, પરંતુ કૃષ્ણ__ એટલે એ એકલા ગયા.
જ. 
ન આવ્યા

(3) ગોવાળોએ આજે ગિલ્લીદંડા રમવાનું નક્કી__ પણ પછી અગરપાટો રમ્યા.
જ.
 કર્યું હતું

(૪) નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા___ .
જ.
 પડે

(પ) હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ___.
જ. 
આવશે

(૬) ગીતાબહેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે___ .
જ. 
આવે છે

(૭) અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ__ .
જ. 
કરીશું.

(૮) બહુ ટકટક ન કરીશ, સાહેબ આવશે તો તને___ .
જ. 
વઢશે

(૯) મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ__ છે.
જ. 
શીખવ્યો

(૧૦) સાહેબ કશું__ તો ખબર પડે ને આજે મેદાનમાં શું રમવાનું છે?
જ. 
કહે

(૧૧) નદીમાં તો અમારે__ છે. પણ કોઈ જવા દે તો ને!
જ. 
તરવું

(૧૨) અને બગીચામાં ખૂબ____પણ ક્યાંય એક પાંદડું કે ફૂલને જરાય નુકસાન પહોંચાડ્યું નહીં.
જ. 
ફર્યા

(૧૩) બધાં ના બોલતાં રહ્યાં ને કનૈયાએ યમુનામાં કૂદકો__ દીધો.
જ. 
મારી